રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં મંજૂર, કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચવું પડે એવી સ્થિતિ
રાજ્યસભા ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકીય ડ્રામા શરૂ થઈ ચૂક્યો છે. કોંગ્રેસના 4 ધારાસભ્યએ રાજીનામા આપી દીધા છે. જ્યારે એક ધારાસભ્યના રાજીનામાની સત્તાવાર જાહેરાત બાકી છે. જ્યારે 5 ધારાસભ્યો હાલ ગુમ છે અને તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. કોંગ્રેસના ધારાસભ્યો પ્રવીણ મારુ, જે.વી.કાકડિયા, સોમા ગાંડા પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગઈકાલે રાજીનામા આપ્યા હતા. જે વિધાનસભા અધ્યક્ષ […]
રાજ્યસભા ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકીય ડ્રામા શરૂ થઈ ચૂક્યો છે. કોંગ્રેસના 4 ધારાસભ્યએ રાજીનામા આપી દીધા છે. જ્યારે એક ધારાસભ્યના રાજીનામાની સત્તાવાર જાહેરાત બાકી છે. જ્યારે 5 ધારાસભ્યો હાલ ગુમ છે અને તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. કોંગ્રેસના ધારાસભ્યો પ્રવીણ મારુ, જે.વી.કાકડિયા, સોમા ગાંડા પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગઈકાલે રાજીનામા આપ્યા હતા. જે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મંજૂર કરી લીધા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જ્યારે અન્ય ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. આમ કોંગ્રેસનો જૂથવાદ બહાર આવતા જ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનના જીતની શક્યતા વધી ગઈ છે. જ્યારે કોંગ્રેસના એક ઉમેદવારને ફોર્મ પાછું ખેંચાવવું પડે એવી સ્થિતિ ઉભી થઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: WHOના ડાયરેકટરે કોરોનાના કહેર વચ્ચે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાને કરી આ ખાસ અપીલ