VIDEO: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બજેટ રજૂ કરતા પહેલાનું નિવેદન, ખેડૂતોનો ફાયદો અને ડેમના પાટીયા ખુલશે
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. તે પહેલા ખેડૂતોના ફાયદાની વાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કહ્યુ કે ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવશે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોની પાણીની સમસ્યા દુર થશે. આવનારી અષાઢી બીજના દિવસે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવશે. જેના કારણે કેનાલોમાં પાણી આવશે અને […]
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. તે પહેલા ખેડૂતોના ફાયદાની વાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કહ્યુ કે ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવશે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોની પાણીની સમસ્યા દુર થશે. આવનારી અષાઢી બીજના દિવસે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવશે. જેના કારણે કેનાલોમાં પાણી આવશે અને ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.
લોકસભા ચૂંટણીના કારણે ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકારે લેખાનુંદાન પસાર કર્યું હતું. જે જુલાઇ મહિના સુધીનું જ હતું. ત્યારે હવે જુલાઇ મહિનાથી આગામી માર્ચ સુધીનું પૂર્ણ બજેટ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે રજૂ કરશે જેમાં રાજ્ય સરકારની નવી યોજનાઓની સાથે જૂની જાહેરાતો માટેની ફાળવણીને લઇને પણ વાત થશે. રાજ્ય સરકાર માટે જીએસટીના કારણે કરની આવક ઘટી છે. ત્યારે ઘટેલી આવકની વચ્ચે પુરાંતવાળુ બજેટ રજૂ કરવું રાજ્ય સરકાર માટે મહત્વનું બની જાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો