તિબેટ દેશના બરખાસ્ત કરાયેલા રાષ્ટ્પતિ સાંગેયનો સનસનીખેજ ખુલાસો, ચીને 10 લાખ તિબેટના લોકોનો કર્યો છે નરસંહાર. ચીનના ત્રાસને લઈ અનેક લોકો કરી રહ્યા છે આત્મવિલોપન, તિબેટને આઝાદી આપવા કરી બુલંદ માગ
ચીનની હલકી માનસિકતા અને જનતાના શોષણની નીતિ હવે ખુલીને બહાર આવી રહીછે. તાઈવાન, હોંગકોંગ, લદ્દાખ અને તિબેટ પોતાનામાં ભેળવી દેવા માટે ધમપછાડા કરતા ચીને તિબ્બતમાં તો કાળો કેર વર્તાવી દીધો છે. ટીવી નાઈન ભારત વર્ષ સાથેની એક ખાસ મુલાકાત દરમિયાન તિબેટથી દેશ નિકાલ કરાયેલા રાષ્ટ્રપતિ લોવસાંગ સાંગેય એ જણાવ્યું હતું કે હાલમાં તિબેટ એકદમ દમનનાં […]
ચીનની હલકી માનસિકતા અને જનતાના શોષણની નીતિ હવે ખુલીને બહાર આવી રહીછે. તાઈવાન, હોંગકોંગ, લદ્દાખ અને તિબેટ પોતાનામાં ભેળવી દેવા માટે ધમપછાડા કરતા ચીને તિબ્બતમાં તો કાળો કેર વર્તાવી દીધો છે. ટીવી નાઈન ભારત વર્ષ સાથેની એક ખાસ મુલાકાત દરમિયાન તિબેટથી દેશ નિકાલ કરાયેલા રાષ્ટ્રપતિ લોવસાંગ સાંગેય એ જણાવ્યું હતું કે હાલમાં તિબેટ એકદમ દમનનાં દોરમાંથી પસાર થઈ રહ્યું છે. ચીનની આર્મી કોઈને પણ અવાજ નથી ઉઠાવવા દેતી, પુષ્કળ ટોર્ચીંગ કરવામાં આવે છે. મહિલાઓ અને રાજકીય રીતે પણ અવાજ ઉઠાવનારાઓ ગાયબ થઈ જાય છે. તાજેતરમાંજ 154 જેટલા લોકોએ આત્મદાહ કરી લીધો, કેમ કે તેમને ખબર છે કે ચીની આર્મી દમન ગુજારે છે અને પરિવાર પણ હેરાન થાય છે તેના કરતા જાતે જ સજા ભોગવી લેવી બહેતર છે. તેમણે આંતરરાષ્ટ્રીય હ્યુમન રાઈટ કમિશનને પણ દખલ કરવા માટે અપીલ કરી છે.