VIDEO: સંતની વિદાય! અંતિમ દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ એવા સતાધારના મહંત જીવરાજ બાપુ 93 વર્ષની વયે દેવલોક પામ્યા છે. લાંબા સમયની બિમારી બાદ ગત મોડી રાત્રે તેઓએ સતાધારમાં અંતિમ શ્વાસ લીધા હતા. આપાગીગાની જગ્યાના મહંત જીવરાજ બાપુ દેવલોક પામતા રાજ્યભરના તેમના ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જીવરાજ બાપુનું નિધન થતાં તેમના અંતિમ દર્શન માટે મોડી રાતથી મોટી સંખ્યામાં ભક્તો […]
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ એવા સતાધારના મહંત જીવરાજ બાપુ 93 વર્ષની વયે દેવલોક પામ્યા છે. લાંબા સમયની બિમારી બાદ ગત મોડી રાત્રે તેઓએ સતાધારમાં અંતિમ શ્વાસ લીધા હતા. આપાગીગાની જગ્યાના મહંત જીવરાજ બાપુ દેવલોક પામતા રાજ્યભરના તેમના ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જીવરાજ બાપુનું નિધન થતાં તેમના અંતિમ દર્શન માટે મોડી રાતથી મોટી સંખ્યામાં ભક્તો લાઈન લગાવીને ઉભા રહી ગયા હતા. આજે પણ મોટી સંખ્યામાં તેમના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને બાપુના અંતિમ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. સાંજે ચાર વાગ્યા સુધી જીવરાજ બાપુના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવેલો છે, ત્યારબાદ જીવરાજ બાપુની મંદિરના પટાંગણમાં જ સમાધિ બનાવવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: મુખ્યમંત્રી કમલનાથના ભાણેજની ED દ્વારા ધરપકડ, 354 કરોડના બેન્ક કૌભાંડનો લગાવ્યો આરોપ
[yop_poll id=”1″]