અયોધ્યામાં આ વખતે ધૂમધામથી દિવાળી ઉજવાશે, વર્ચ્યુઅલ રીતે દીપોત્સવ ઉજવવાની યોજના
અયોધ્યામાં હાલમાં જશ્નનો માહોલ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામજન્મભૂમિ પર મંદિર નિર્માણનો માર્ગ સાફ થઈ ગયો છે. હવે ભવ્યમંદિરનું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે આ વર્ષે અયોધ્યામાં વર્ચ્યુઅલ રીતે દીપોત્સવ કરવામાં આવશે. દિવાળીમાં અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. આ વખતે યોગી સરકારનો અયોધ્યામાં આ ચોથો દીપોત્સવ છે. Web Stories View […]
અયોધ્યામાં હાલમાં જશ્નનો માહોલ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામજન્મભૂમિ પર મંદિર નિર્માણનો માર્ગ સાફ થઈ ગયો છે. હવે ભવ્યમંદિરનું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે આ વર્ષે અયોધ્યામાં વર્ચ્યુઅલ રીતે દીપોત્સવ કરવામાં આવશે. દિવાળીમાં અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. આ વખતે યોગી સરકારનો અયોધ્યામાં આ ચોથો દીપોત્સવ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અન્ય દીપોત્સવની જેમ આ વર્ષે પણ રેકોર્ડ બનાવવાની તૈયારી છે. આ વખતનો દીપોત્સવ બે ગણા ઉત્સવની સાથે મનાવવાની યોજના છે. કોવિડ 19ના દિશા નિર્દેશોનું પાલન કરતા અયોધ્યામાં આ વખતે 5.51 લાખ દીવા પ્રગટાવી નવા રેકોર્ડ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જિનિસ બુકમાં દાખલ 4.14 લાખ દીવા પ્રગટાવવાનો પોતાનો જ રેકોર્ડ અયોધ્યાવાસી તોડશે.
મુખ્ય સચિવ નવનીત સહગલે જણાવ્યું કે અયોધ્યામાં આયોજિત દીપોત્સવ કાર્યક્રમમાં એકરૂપતા હશે. જે પણ અયોધ્યામાં સજાવટ થઈ રહી છે, તેનું ડ્રોન મેપિંગ થશે. તે સિવાય દીપોત્સવની ખાસિયત એ હશે કે અમે ડિજિટલ દીવાળીનો કન્સેપ્ટ લોન્ચ કરી રહ્યા છે. તેના દ્વારા ઓનલાઈન લોકો અયોધ્યામાં કાર્યક્રમમાં સામેલ થઈ શકશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો