ભારતમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો, ચીનમાં અત્યાર સુધી 361 લોકોના મોત
ભારતના કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે.કે.શૈલજાએ કોરોના વાયરસના ત્રીજા કેસની પુષ્ટી કરી છે. તેમને કહ્યું કે સંદિગ્ધોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને ગંભીરતાથી લેતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તેને ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. Web Stories View more અવનીત કૌરના […]
ભારતના કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે.કે.શૈલજાએ કોરોના વાયરસના ત્રીજા કેસની પુષ્ટી કરી છે. તેમને કહ્યું કે સંદિગ્ધોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને ગંભીરતાથી લેતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તેને ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે આ દર્દીનો પણ ચીનના વુહાન જવાનો ઈતિહાસ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દર્દીની સ્થિતી સ્થિર છે. તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. રવિવારે કેરળમાં કોરોના વાયરસનો બીજો કેસ સામે આવ્યો હતો. મંત્રાલય મુજબ દર્દીને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
હાલમાં તેની સ્થિતી સ્થિર છે પણ તેની દેખરેખ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દર્દીનો ચીનની મુસાફરી કરવાનો ઈતિહાસ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 361 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 14 હજારથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]