ક્યારે અટકશે મકાન પડવાનો સિલસિલો? તંત્રને નિર્દોષ નાગરિકોના જીવની નથી કોઈ ચિંતા! જુઓ VIDEO
રથયાત્રા હોય કે ચોમાસુ હોય AMC જર્જરીત અને જોખમી મકાનો સામે કાર્યવાહીના દાવા કરતું હોય છે. જોકે આપને વાસ્તવિકતા જાણીને આશ્ચર્ય થશે કે AMC પાસે શહેરમાં કેટલા મકાનો જર્જરીત છે તેની કોઇ માહીતી જ નથી અને જે મકાનો જોખમી છે તેને AMC માત્ર નોટિસ ફટકારીને સંતોષ માને છે. જોકે અહીં સવાલ એ સર્જાય છે કે […]
રથયાત્રા હોય કે ચોમાસુ હોય AMC જર્જરીત અને જોખમી મકાનો સામે કાર્યવાહીના દાવા કરતું હોય છે. જોકે આપને વાસ્તવિકતા જાણીને આશ્ચર્ય થશે કે AMC પાસે શહેરમાં કેટલા મકાનો જર્જરીત છે તેની કોઇ માહીતી જ નથી અને જે મકાનો જોખમી છે તેને AMC માત્ર નોટિસ ફટકારીને સંતોષ માને છે. જોકે અહીં સવાલ એ સર્જાય છે કે શું તંત્રનું કામ માત્ર નોટિસ ફટકારીને સંતોષ માનવાનું છે. શું આવા જોખમી મકાનો ઉતારી લેવામાં આવે તે જરૂરી નથી. AMCના તંત્રને નિર્દોષ નાગરિકોના જીવની કોઇ જ ચિંતા નથી. અમદાવાદના જમાલપુરમાં એક મકાનનો આગળનો ભાગ તૂટ્યો છે. બે માળના મકાનમાં પહેલા માળનો આગળનો ભાગ તૂટ્યો જેમા ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. જમાલપુર ગાયકવાડ હવેલી પાસેનો આ બનાવ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ટ્રાફિકના જંગી દંડ સામે રાજ્યના લોકોને મળશે રાહત, જુઓ VIDEO