તાલાલા પંથકમાં 36 કલાકમાં ભૂકંપના 21 આંચકાઓ આવ્યા
તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકો આવ્યો છે. છેલ્લા 36 કલાકમાં તલાલા પંથકમાં ભૂંકપના કુલ 21 આંચકાઓ અનુભવાયા છે. આજે બપોરના 12.46 કલાકે, ધાવા, મોરૂકા, હડમતીયા, સુરવા ગામના લોકોએ ભૂકંપના હળવા આંચકાઓ અનુભવ્યા છે. જો કે છેલ્લા બે દિવસથી સતત આવી રહેલા ભૂકંપના આચકાઓને લઈને ગ્રામિણ વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે. ભૂકંક અનુસંધાન કેન્દ્રના ભૂસ્તરશાસ્ત્રીઓનું […]
તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકો આવ્યો છે. છેલ્લા 36 કલાકમાં તલાલા પંથકમાં ભૂંકપના કુલ 21 આંચકાઓ અનુભવાયા છે. આજે બપોરના 12.46 કલાકે, ધાવા, મોરૂકા, હડમતીયા, સુરવા ગામના લોકોએ ભૂકંપના હળવા આંચકાઓ અનુભવ્યા છે. જો કે છેલ્લા બે દિવસથી સતત આવી રહેલા ભૂકંપના આચકાઓને લઈને ગ્રામિણ વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે. ભૂકંક અનુસંધાન કેન્દ્રના ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવુ છે કે, જે વર્ષે સરેરાશ કરતા વધુ વરસાદ વરસે તે વર્ષે ગીરસોમનાથ, જામનગર, પોરબંદર અને રાજકોટના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ભૂંકપના નાના નાના આંચકાઓ ઓછામાં ઓછા ચારથી પાંચ મહિના સુધી આવતા રહે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો