ભૂકંપ સંશોધન કેન્દ્રનું નવુ સંશોધન, જે વર્ષે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વધુ વરસાદ આવે છે, તે વર્ષે સૌરાષ્ટ્રમાં નાના ભૂકંપના આંચકાઓ આવે છે
છેલ્લા બે દિવસમાં ભૂકંપના 15 આંચકાઓ આવ્યા છે. નાના નાના ભૂકંપના આચંકાઓ આવવા માટે, ભૂકંપ અનુસંધાન કેન્દ્રનુ કહેવુ છે કે, ભારે માત્રામાં વરસેલા વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. 15 વર્ષના સંશોધનથી કહી શકાય કે, આહીયા કોઈ મોટી ફોલ્ટ લાઈન નથી. એવરેજ કરતા વધુ માત્રામાં વરસાદ થાય તો આ સ્થિતિ સર્જાય છે. જૂનાગઢ, ગીર સોમનાથ, […]
છેલ્લા બે દિવસમાં ભૂકંપના 15 આંચકાઓ આવ્યા છે. નાના નાના ભૂકંપના આચંકાઓ આવવા માટે, ભૂકંપ અનુસંધાન કેન્દ્રનુ કહેવુ છે કે, ભારે માત્રામાં વરસેલા વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. 15 વર્ષના સંશોધનથી કહી શકાય કે, આહીયા કોઈ મોટી ફોલ્ટ લાઈન નથી. એવરેજ કરતા વધુ માત્રામાં વરસાદ થાય તો આ સ્થિતિ સર્જાય છે. જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, પોરબંદરમાં આ સ્થિતિ વધુ છે. ઓગસ્ટથી ફેબ્રુઆરી દરમિયાન 4થી નીચેના ભૂકંપના આંચકાઓ આવે છે. મુખ્યત્વે તો માત્ર 2ની જ તીવ્રતાનો ભૂકંપ આવે છે. સૌથી વધુ ભૂકંપના આંચકાઓ તલાલા વિસ્તારમાં આવે છે. આ સ્થિતિ જ્યારે પણ સરેરાશ કરતા વધુ વરસાદ વરસે ત્યારે તે વર્ષમાં આ સ્થિતિ સર્જાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો