કાશ્મીરમાં CRPF જવાનો ઉપર આંતકી હુમલો, પાંચ જવાન ઘાયલ, બે જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના પુલવામાંના પમ્પોર બાયપાસ હાઈવે પર, આતંકીઓએ સીઆરપીએફ (CRPF)ના જવાનો ઉપર કરેલા નાપાક હુમલામાં પાંચ જવાનો ઘાયલ થયા છે. તો બે જવાનો શહીદ થયા છે. સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, આતંકવાદીઓએ, પમ્પોર બાયપાસ ખાતે CRPFની રોડ ઓપનિગ પાર્ટી (RoP) હુમલો કર્યો. શ્રીનગરના નૌંગામ વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો ઉપર આધુનિક શસ્ત્રોમાંથી ગોળીબાર કર્યા હતા. સીઆરપીએફના જવાનોએ પણ […]
જમ્મુ કાશ્મીરના પુલવામાંના પમ્પોર બાયપાસ હાઈવે પર, આતંકીઓએ સીઆરપીએફ (CRPF)ના જવાનો ઉપર કરેલા નાપાક હુમલામાં પાંચ જવાનો ઘાયલ થયા છે. તો બે જવાનો શહીદ થયા છે. સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, આતંકવાદીઓએ, પમ્પોર બાયપાસ ખાતે CRPFની રોડ ઓપનિગ પાર્ટી (RoP) હુમલો કર્યો.
શ્રીનગરના નૌંગામ વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો ઉપર આધુનિક શસ્ત્રોમાંથી ગોળીબાર કર્યા હતા. સીઆરપીએફના જવાનોએ પણ આતંકીઓને પડકારીને જવાબમાં ફાયરીંગ કરતા આંતકીઓ નાસી છુટ્યા હતા. જેમાં પાંચ જેટલા જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને આર્મી બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો