તહેવારોને લઈને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, આતંકી હુમલાનું ગુપ્તચર સંસ્થાઓનું એલર્ટ
આગામી દિવસમાં નવરાત્રી-દિવાળી તહેવાર લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે. જે પાછળનું કારણ તહેવાર સમયમાં આતંકી હુમલાનું ગુપ્તચર સંસ્થાઓ દ્વારા એલર્ટ અપાયું છે. જાહેરનામા અન્વયે કોમ્પ્લેક્સ, જવેલર્સ સહિત ચાર રસ્તા પર સીસીટીવી ફરજિયાત રાખવા આદેશ કરાયો છે. સાથે જ શોપિંગ મોલ્સ, મલ્ટિપ્લેક્સ થિયેટર, થ્રી સ્ટારથી ઉપરની હોટેલોમાં સીસીટીવી અને સિક્યોરિટી ફરજિયાત કરાયું છે […]
આગામી દિવસમાં નવરાત્રી-દિવાળી તહેવાર લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે. જે પાછળનું કારણ તહેવાર સમયમાં આતંકી હુમલાનું ગુપ્તચર સંસ્થાઓ દ્વારા એલર્ટ અપાયું છે. જાહેરનામા અન્વયે કોમ્પ્લેક્સ, જવેલર્સ સહિત ચાર રસ્તા પર સીસીટીવી ફરજિયાત રાખવા આદેશ કરાયો છે. સાથે જ શોપિંગ મોલ્સ, મલ્ટિપ્લેક્સ થિયેટર, થ્રી સ્ટારથી ઉપરની હોટેલોમાં સીસીટીવી અને સિક્યોરિટી ફરજિયાત કરાયું છે તથા પાર્કિંગ, ભોંયરા, તમામ માળ પર સીસીટીવી રાખવા આદેશ કરાયો છે. આ સાથે જ રેસ્ટોરાં, ગેસ્ટહાઉસ, ધર્મશાળા, પેટ્રોલ પંપ, ટોલપ્લાઝા પર સીસીટીવી રેકોર્ડિંગ 15 દિવસ સુધી સાચવી રાખવાનો પણ આદેશ કરાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો