IND vs AUS: ટીમ ઇન્ડિયાને પ્રવાસની શરુઆતે જ ઝટકો, રોહિત અને ઇશાંત બંને પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર થયા
ઓસ્ટ્રેલીયા પ્રવાસની શરૂઆતના પહેલા જ ભારતીય ટીમને ઝટકા મળ્યા છે. ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને અનુભવી પેસર ઇશાંત શર્મા ટેસ્ટ સીરીઝના શરુઆતની બે મેચો થી બહાર થઇ ગયા છે. અંતિમ બે ટેસ્ટ મેચમાં બંને ને રમવાનો નિર્ણય પણ બીસીસીઆઇ કરશે. રોહિત અને ઇશાંત આઇપીએલ દરમ્યાન ઇજાગ્રસ્ત બન્યો હતો. આઇપીએલમા હિટમેન અંતિમ પડાવમાં કેટલીક મેચોમાં […]
ઓસ્ટ્રેલીયા પ્રવાસની શરૂઆતના પહેલા જ ભારતીય ટીમને ઝટકા મળ્યા છે. ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને અનુભવી પેસર ઇશાંત શર્મા ટેસ્ટ સીરીઝના શરુઆતની બે મેચો થી બહાર થઇ ગયા છે. અંતિમ બે ટેસ્ટ મેચમાં બંને ને રમવાનો નિર્ણય પણ બીસીસીઆઇ કરશે.
રોહિત અને ઇશાંત આઇપીએલ દરમ્યાન ઇજાગ્રસ્ત બન્યો હતો. આઇપીએલમા હિટમેન અંતિમ પડાવમાં કેટલીક મેચોમાં ઇજાને લઇને બહાર થયા હતો. જ્યારે લંબુ એ અધવચ્ચે થી જ ટુર્નામેન્ટમાંથી બહાર થવા મજબુર બનવુ પડ્યુ હતુ. હવે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં બંને પોતાની ઇજાથી બહાર આવવા માટે મહેનત કરી રહ્યા છે, પરંતુ હાલની જાણકારી મુજબ કંઇ અલગ જ સ્થિતી દર્શાવી રહી છે.
મિડીયા રિપોર્ટસ અનુસાર બંને ટેસ્ટ સીરીઝ માટે સમયાનુસાર ફીટ થઇ શકશે નહી. સુત્રોની વાતને માનીએ તો એનસીએ ના વિશેષજ્ઞોએ ટીમ મેનેજમેન્ટ. પસંદગીકારો અને બીસીસીઆઇ ને આ માટે જાણકારી આપી દેવામાં આવી છે. જે રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, બંનેની ફીટનેશ રીપોર્ટ એટલી ઉત્સાહજનક નથી.
આ પહેલા ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ એક બયાન આપ્યુ હતુ. જે મુજબ રોહિત શર્મા અને ઇશાંત શર્મા આગળના ચાર પાંચ દિવસમાં જ ઓસ્ટ્રેલીયા નથી પહોંચતા તો, બંને ખેલાડીઓ ટેસ્ટ સીરીઝ થી બહાર થઇ શકે છે. હકીકતમાં ઓસ્ટ્રેલીયામાં ક્વોરંટાઇન નિયમ સખત છે. ઓસ્ટ્રેલીયા પહોંચવા પર કોઇને પણ 14 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવુ ફરજીયાત છે. ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 17 ડિસેમ્બર થી રમાનાર છે.
બતાવવુ એ પણ જરુરી છે કે, બંને ખેલાડીઓને પહેલા ઓસ્ટ્રેલીયા પ્રવાસ થી બહાર રાખવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં ફરી થી રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. ઇશાંત શર્માને પણ ઓસ્ટ્રેલીયામા ટીમ ઇન્ડિયામાં જોડાવા માટે પુર્ણ સ્વરુપે ફીટ થવાની શરત તૈયાર રાખવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો