કોહલીએ વાત વાતમાં આપ્યો સંકેત, જાણો ધોનીને ફરીથી ટીમમાં મોકો મળશે કે નહીં?
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની ઘણાં સમયથી ક્રિકેટથી દૂર છે. તેઓ પાછા ફરશે અને મેદાનમાં ઉતરશે તેની રાહ તેમના ચાહકો જોઈ રહ્યાં છે. ધોનીના લીધે ભારતની ટીમે ઘણીબધી સિદ્ધીઓ મેળવી છે. ધોનીના રિટાયરમેન્ટને લઈને વિવિધ વાતો સામે આવી રહી છે. જો કે ધોની પરત આવશે કે નહીં તે અંગે વિરાટ કોહલીએ એક ઈશારો કરી […]
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની ઘણાં સમયથી ક્રિકેટથી દૂર છે. તેઓ પાછા ફરશે અને મેદાનમાં ઉતરશે તેની રાહ તેમના ચાહકો જોઈ રહ્યાં છે. ધોનીના લીધે ભારતની ટીમે ઘણીબધી સિદ્ધીઓ મેળવી છે. ધોનીના રિટાયરમેન્ટને લઈને વિવિધ વાતો સામે આવી રહી છે. જો કે ધોની પરત આવશે કે નહીં તે અંગે વિરાટ કોહલીએ એક ઈશારો કરી દીધો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા દિયોદર અને ભાભર પંથકમાં પણ કમોસમી વરસાદ, ખેડૂતો બન્યા ચિતાતુર
ધોની 4 નંબર પર બેટિંગ કરતાં હોય છે. જો કે આ ક્રમ કોઈ ચોક્કસ નથી પણ મોટેભાગે ધોની આ નંબર પર બેટિંગ કરવા માટે ઉતરતા હોય છે. વિરાટ કોહલીએ એક જાહેરાત કરી છે કે હવે તેઓ 4 નંબર પર ઉતરશે. જો કે કોહલીએ એવું નથી કહી દીધું કે તેઓ ધોનીને કોઈ મોકો જ નથી આપવા માગતા પણ એવું કહી દીધું કે તેઓ 4 નંબર પર બેટિંગ કરવા માટે ઉતરશે. કોહલીએ કહ્યું કે શિખર ધવન અને કેએલ રાહુલને તે મોકો આપવા માગે છે અને તેના લીધે 4 નંબર પર ઉતરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉલ્લેખનીય છે કે ભારતની ટીમ ન્યૂઝીલેન્ડ ખાતે જઈ રહી છે. આ મેચમાં લોકોને એવી આશા હતી કે ધોનીને પરત લાવવામાં આવશે. જો કે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગયી છે અને તેમાં ધોનીને સ્થાન આપવામાં આવ્યું નથી. આમ કોહલીએ ઈશારો કરી દીધો કે છે ટીમમાં 4 ખેલાડીની જગ્યા સ્પષ્ટ છે અને હવે કોઈને મોકો મળી શકે તેમ નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]