સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની વિરૂદ્ધ ફરી ખુલી શકે છે 100 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો મામલો!
યંગ ઈન્ડિયન/નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવાર માટે ખરાબ સમાચાર આવ્યા છે. ટેક્સ ટ્રિબ્યુનલે કેસની સુનાવણી કરનારા ગાંધી પરિવારના દાવાને રદ કરી દીધો છે. ટ્રિબ્યુનલે તેમના આદેશમાં કહ્યું કે યંગ ઈન્ડિયન કોઈ ચેરીટેબલ ટ્રસ્ટ નથી. Web Stories View more મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે […]
યંગ ઈન્ડિયન/નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવાર માટે ખરાબ સમાચાર આવ્યા છે. ટેક્સ ટ્રિબ્યુનલે કેસની સુનાવણી કરનારા ગાંધી પરિવારના દાવાને રદ કરી દીધો છે. ટ્રિબ્યુનલે તેમના આદેશમાં કહ્યું કે યંગ ઈન્ડિયન કોઈ ચેરીટેબલ ટ્રસ્ટ નથી.
ટેક્સ ટ્રિબ્યૂનલના આ નિર્ણયનો મતલબ થયો કે હવે યંગ ઈન્ડિયનની 100 કરોડ રૂપિયાની ટેક્સ ફાઈલ ખુલવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ઈન્કમ ટેક્ષ વિભાગના ટ્રિબ્યુનલે આદેશમાં જણાવ્યું હતું કે કંપની જે પ્રવૃત્તિઓ કરી રહી છે તેને ચેરીટેબલ કહી શકાય નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગાંધી પરિવારનો દાવો છે કે યંગ ઈન્ડિયન એક ચેરીટેબલ ટ્રસ્ટ છે અને તેથી તેને ટેક્સમાં છુટ મળવી જોઈએ પણ ટ્રિબ્યુનલે આ દાવાનો સ્વીકાર કર્યો નહીં. ટ્રિબ્યુનલે કહ્યું કે કંપનીની પ્રવૃતિઓ ચેરીટેબલ સંસ્થાની શ્રેણીમાં આવતી નથી. ગાંધી પરિવારનો દાવો છે કે યંગ ઈન્ડિયન એક ચેરીટેબલ ટ્રસ્ટ છે અને તેથી તેને ટેક્સમાં છૂટ મળવી જોઈએ પણ ટ્રિબ્યુનલે આ દાવાનો સ્વીકાર કર્યો નથી. ટ્રિ્બ્યુનલે કહ્યું કે કંપનીની પ્રવૃતિઓ ચેરીટેબલ સંસ્થાની શ્રેણીમાં આવતી નથી. ત્યારે અરજીકર્તાની ટેક્સમાં છૂટ મળવાની માગને રદ કરવામાં આવે છે.
યંગ ઈન્ડિયન કંપનીએ નેશનલ હેરાલ્ડનું અધિગ્રહણ કર્યુ છે. હવે ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે આ અધિગ્રહણ પર પણ સવાલો ઉભા થઈ શકે છે. યંગ ઈન્ડિયનમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, આસ્કર ફર્નાડિસ, સામ પિત્રોડા અને સુમન દુબે શેયર હોલ્ડર છે.
શું છે યંગ ઈન્ડિયન/નેશનલ હેરાલ્ડ કેસ
નેશનલ હેરાલ્ડ અખબારની શરૂઆત 1938માં જવાહરલાલ નેહરૂએ કરી હતી. 2008માં અખબાર દેવામાં હોવાને કારણે બંધ કરવું પડ્યુ હતું. કોંગ્રેસે 2010માં યંગ ઈન્ડિયા પ્રાઈવેટ કંપની બનાવી, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ભાગીદારી 38-38 ટકા રાખવામાં આવી. બાકી 12-12 ટકા ભાગીદારી કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાડીઝને આપવામાં આવી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કોંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવવામાં આવ્યો કે પાર્ટીએ કોઈ વ્યાજ વગર એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ કંપનીને 90 કરોડ રૂપિયાની લોન આપી. ત્યારે યંગ ઈન્ડિયને નેશનલ હેરાલ્ડની સંપતિ માત્ર 50 લાખ રૂપિયામાં ખરીદી લીધી હતી, જેની કિંમત લગભગ 1600 કરોડ રૂપિયા હતી.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનો આરોપ છે કે હેરાલ્ડની સંપત્તિનો દુરૂપયોગ કરવામાં આવ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની વિરૂદ્ધ ટેક્સ ચોરી અને છેતરપિંડીનો કેસ દાખલ કરાવ્યો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]