ટાટા વિ. સાઈરસ મિસ્ત્રી વિવાદ, સુપ્રીમ કોર્ટ 8 ડિસેમ્બરે કરશે અંતિમ સુનાવણી
ટાટા વિ. સાઈરસ મિસ્ત્રી વિવાદ કેસમાં સુપ્રિમ કોર્ટ 8 ડિસેમ્બરે અંતિમ સુનાવણી કરશે. બુધવારે સીજેઆઈ એસ..એ.બોબડેએ કહ્યું હતું કે મંગળવારે આ મામલે સુનાવણી કરશે. તે દિવસે આ ખંડપીઠ આ મામલા પર અંતિમ સુનાવણી કરશે. મુખ્ય ન્યાયધીશ એસ.એ.બોબડે અને ન્યાયમૂર્તિ એ.એસ.બોપન્ના અને ન્યાયમૂર્તી વી.રામાસુબ્રમણ્યમની ખંડપીઠ આ સુનાવણી કરે છે. જેમણે 22 સપ્ટેમ્બરે મિસ્ત્રી ફર્મો અને શાપૂરજી […]
ટાટા વિ. સાઈરસ મિસ્ત્રી વિવાદ કેસમાં સુપ્રિમ કોર્ટ 8 ડિસેમ્બરે અંતિમ સુનાવણી કરશે. બુધવારે સીજેઆઈ એસ..એ.બોબડેએ કહ્યું હતું કે મંગળવારે આ મામલે સુનાવણી કરશે. તે દિવસે આ ખંડપીઠ આ મામલા પર અંતિમ સુનાવણી કરશે.
મુખ્ય ન્યાયધીશ એસ.એ.બોબડે અને ન્યાયમૂર્તિ એ.એસ.બોપન્ના અને ન્યાયમૂર્તી વી.રામાસુબ્રમણ્યમની ખંડપીઠ આ સુનાવણી કરે છે. જેમણે 22 સપ્ટેમ્બરે મિસ્ત્રી ફર્મો અને શાપૂરજી પલ્લોનજી મિસ્ત્રીના વિરૂદ્ધ ટાટા સન્સમાં તેના શેરધારિતાની સુરક્ષા વિરૂદ્ધ મૂડી એકઠી કરવી, ગિરવે રાખવી, શેરના સંબંધીત કોઇપણ હસ્તાંતર કે કોઇપણ કાર્યવાહી ના કરવાનો આદેશ કર્યો હતો. જ્યારે મિસ્ત્રી વતી હાજર થયેલા વરિષ્ઠ પ્રવક્તા સીએ સુંદરમે અદાલતને કહ્યું હતું કે ટાટા સન્સ શેરોને ગીરવી રાખવા માટે રોક લગાવી રહ્યું છે. આ મામલો જલ્દી ખત્મ કરવાની માંગ કરી રહ્યાં છીએ.
સીજેઆઈ બોબડેનો જવાબ સીજેઆઈ બોબડેએ કહ્યું હતું કે “ પરત આવવાને સંપતિનું હસ્તાંતરણ કઇ રીતે કહી શકાય.. ? ગીરવી રાખવું એટલે એક સિમિત પ્રતિબંધીત સંપતી છે.” જ્યારે શાપૂરજી પલ્લોનજી મિસ્ત્રી તરફથી હાજર થયેલા વરિષ્ઠ અધિવક્તા જનક દ્વારકાદાસે કહ્યું હતું કે તેમના અસીલને તેમના શેર વેંચતા રોકવાનું કહેવામાં આવી રહ્યું છે. જો વેંચાણની સૂચના અપાય તો શેરોની વધારે કિંમત ચૂકવવી પડે છે. અગાઉ સીજેઆઈ બોબડેએ કહ્યું હતું કે “ ન તો પક્ષકાર 4 અઠવાડીયા સુધી તેમના ઘોડા રોકવા તૈયાર છે.. જે કંઇપણ શેરોના મૂલ્યને પ્રભાવીત કરે છે તે પ્રાસંગીક છે. અમે વિચાર્યું કે આપ ( મિસ્ત્રી ) યથાસ્થિતી બનાવી રાખવા માટે સહમત હશો. જો તમે સહમત નથી તો અમે હવે તેમને સાંભળીશું. અમે ફક્ત તમને બધાને 4 અઠવાડીયા સુધી રાહ જોવા માટે કહી રહ્યાં છીએ.”
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો