‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના ફેન્સને લાગશે ઝટકો! 12 વર્ષ બાદ શો છોડી શકે છે આ કલાકાર
ચાર મહિનાના લાંબા વિરામ પછી જાણીતી કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એક વખત નવા એપિસોડ્સ સાથે ટીવી પર આવી છે. ત્યારે TMKOCના ફેન્સ માટે દુખદ સમાચાર સામે આવ્યા છે કે હવે અંજલી ભાભીનું પાત્ર નિભાવતા નેહા મહેતા શોમાં નહીં જોવા મળે. તાજેત્તરના અહેવાલો અનુસાર, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલી તારક મહેતાની […]
ચાર મહિનાના લાંબા વિરામ પછી જાણીતી કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એક વખત નવા એપિસોડ્સ સાથે ટીવી પર આવી છે. ત્યારે TMKOCના ફેન્સ માટે દુખદ સમાચાર સામે આવ્યા છે કે હવે અંજલી ભાભીનું પાત્ર નિભાવતા નેહા મહેતા શોમાં નહીં જોવા મળે. તાજેત્તરના અહેવાલો અનુસાર, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલી તારક મહેતાની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી નેહા મહેતાએ શો છોડવાની તૈયારી કરી દીધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નિર્માતાઓને પણ આની જાણ કરી દીધી છે. કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનને લીધે બધા ટીવી શો અને ફિલ્મસનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારની કેટલીક માર્ગદર્શિકાને પગલે શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. TMKOCની ટીમે 10 જુલાઈએ ફરી શૂટિંગ શરૂ કર્યું હતું, જ્યારે નવા એપિસોડ 22 જુલાઈથી પ્રસારિત થઈ રહ્યા છે.
નેહા મહેતા શરૂઆતથી જ આ શો સાથે સંકળાયેલી છે અને ચાહકોને તેના ક્યૂટ-સ્ક્રીન પતિ તારક મહેતા સાથે તેના ક્યૂટ નોક-જોક ખૂબ ગમે છે. હાલમાં જ આ શોના 12 વર્ષ પૂરા થયાં છે. જો કે જ્યારે ટીવી9 એ શો-મેકર્સનો સંપર્ક સાધ્યો તો આ વિશે કોઈ પણ જવાબ ન મળ્યો પણ વિશ્વસનીય સૂત્રો મૂજબ કોરોનાનો કહેર TMKOCના સેટ પર પણ પહોંચી ગયો છે અને શો સાથે સંકળાયેલા લોકો માટે મોટું જોખમ બની શકે છે. ટીવી9એ જ્યારે નેહા મેહતા સાથે વાત કરી તો એમને જણાવ્યુ કે હાલ તે મુંબઈમાં નથી, જ્યારે પરત આવશે, ત્યારે શો વિશે વિચાર કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
હાલ એ પણ અહેવાલ છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના અભિનેતા ગુરુચરણસિંહે પણ શો છોડી દીધો છે, જે રોશન સિંઘ સોઢીની ભૂમિકા ભજવે છે. આ ચાહકો માટે આંચકાજનક છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ નાના પડદાનો સૌથી લાંબો ચાલતો શો છે, જે છેલ્લા 12 વર્ષથી ચાલે છે. વારંવાર શોની ટીઆરપીએ દરેકને પ્રભાવિત કર્યા છે. જો કે, જ્યારે દયાબેનની ભૂમિકા નિભાવનારી મુખ્ય અભિનેત્રી દિશા વાકાણીએ વિદાય લીધી હતી, ત્યારે પણ શોએ લાઈમલાઈટ પકડી લીધી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]