T-20 લીગ: પંજાબ અને કલકત્તા આજે આમને સામને ટકરાશે, બંને ટીમને માટે જીત છે મહત્વની
સતત આઠ મેચ જીતવાને લઈને ટી-20 લીગમાં પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે મજબુત દાવેદાર ગણાતી કિંગ્સ ઇલેવન પંજાબ આજે પણ તેનો જાદુ જારી રાખવા માટે પ્રયાસ કરશે. પંજાબ આજે કલકત્તા નાઈટ રાઇડર્સ સામે ટકરાશે. સોમવારે કલકત્તા વિરુદ્ધ પંજાબની મેચ રમાનારી છે. કલકત્તા પણ પ્લેઓફની જગ્યા માટે એટલુ જ દાવેદારમાં માનવામાં આવી રહ્યુ છે. કિંગ્સ ઇલેવન પંજાબે […]
સતત આઠ મેચ જીતવાને લઈને ટી-20 લીગમાં પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે મજબુત દાવેદાર ગણાતી કિંગ્સ ઇલેવન પંજાબ આજે પણ તેનો જાદુ જારી રાખવા માટે પ્રયાસ કરશે. પંજાબ આજે કલકત્તા નાઈટ રાઇડર્સ સામે ટકરાશે. સોમવારે કલકત્તા વિરુદ્ધ પંજાબની મેચ રમાનારી છે. કલકત્તા પણ પ્લેઓફની જગ્યા માટે એટલુ જ દાવેદારમાં માનવામાં આવી રહ્યુ છે. કિંગ્સ ઇલેવન પંજાબે તેની 11 મેચોમાંથી 5 મેચોમાં જીત મેળવી 10 અંક મેળવી ચુક્યુ છે. જ્યારે કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ પણ 11 મેચોમાં 6 જીત મેળવીને 12 અંક ધરાવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કલકત્તા હાલમાં ટેબલમાં ચોથા સ્થાન પર છે. પ્લેઓફની દોડ હવે ખુબ જ કશ્મકશ ભરી છે. આવામાં બંને ટીમો સોમવારે જીતના મહત્વને ખુબ સારી રીતે સમજી રહ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ શાનદાર ફોર્મમાં છે. તેણે લગાતાર પાંચ મેચ ગુમાવી હતી અને બાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યુ હતુ. ત્યારબાદ ટોચની બે ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સને હરાવી દીધી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તો તેણે પોતાના ઓછા સ્કોરને પણ સફળતાપુર્વક બચાવ કર્યો હતો. પ્લેઓફમાં પહોંચવાને માટે હવે તેની બાકી બચેલી તમામ ત્રણ મેચ જીતી લેવી જરુરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો