T-20: પંજાબની હારની હારમાળા અટકશે કે બેંગ્લોર રહેશે હાવી? શું ગેલ પલટશે પંજાબનુ પાસુ ! જાણો કેવી છે બંને ટીમોની મેચ પહેલાની સ્થિતી

કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શુક્રવારે સિઝનની 31 મેચના સ્વરુપમાં રમાશે. પંજાબની સ્થિતી સિઝનમાં કથળેલી છે અને તે સાત પૈકી માત્ર એક જ મેચ જીતી શક્યુ છે અને તે પણ બેંગ્લોર સામે. હવે ફરી એકવાર આજ બેંગ્લોર સામે શારજાહમાં મેચ રમાનારી છે. આ મેચ જીતીને સિઝનમાં ફરી થી પરત ફરવાની તક છે […]

T-20: પંજાબની હારની હારમાળા અટકશે કે બેંગ્લોર રહેશે હાવી? શું ગેલ પલટશે પંજાબનુ પાસુ ! જાણો કેવી છે બંને ટીમોની મેચ પહેલાની સ્થિતી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 15, 2020 | 7:34 AM

કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શુક્રવારે સિઝનની 31 મેચના સ્વરુપમાં રમાશે. પંજાબની સ્થિતી સિઝનમાં કથળેલી છે અને તે સાત પૈકી માત્ર એક જ મેચ જીતી શક્યુ છે અને તે પણ બેંગ્લોર સામે. હવે ફરી એકવાર આજ બેંગ્લોર સામે શારજાહમાં મેચ રમાનારી છે. આ મેચ જીતીને સિઝનમાં ફરી થી પરત ફરવાની તક છે સાથે જ આત્મવિશ્વાસ પણ વધારી શકાય છે.

પંજાબ માટે આ સત્રમાં કેલ રાહુલ અને મયંક અગ્રવાલ આ બંનેને બાદ કરતા કંઇ પણ સારુ થઇ રહ્યુ નથી. બાકીના પણ અન્ય બેટ્સમેન પણ કંઇ ખાસ કરી રહ્યા નથી. અત્યાર સુધી બહાર બેઠેલા ક્રિસ ગેઇલ પણ આ મેચમાં રમી શકે છે. કોચ અનિલ કુંબલે કહ્યુ હતુ કે ગેઇલ અગાઉની મેચમાં જ રમનાર હતો પરંતુ, તબીયતના કારણોસર તે બહાર હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવે ગેઇલ હોસ્પીટલ થી સ્વસ્થ થઇને પરત આવી ચુક્યો છે. આશા છે કે હવે તેની પ્રથમ મેચ ચાલુ સિઝનમાં પંજાબ સામે રમશે, તેના આવવા થી પણ ટીમને મજબુતી મળશે. હવે જોવાનુ પણ એ છે કે તેની સાથે ઇનીંગ્સની શરુઆત પણ કોણ કરે છે, રાહુલ કે મયંક અગ્રવાલ. જોકે મયંક અગ્રવાલની સંભાવના ઓ વધુ વર્તાઇ રહી છે કે તે ગેઇલ સાથે ઓપનીંગ કરી શકે છે. રાહુલ ભારતીય ટીમ માટે નંબર પાંચ પર રમી ચુક્યો છે અને પંજાબ પાસે આ નંબર પર કોઇ ખેલાડી પણ નથી કે જે મધ્યમક્રમને સારી રીતે સંભાળી શકે. રાહુલ તે કામ કરી શકે છે, તે ઝડપી રમત પણ રમી શકે છે. આ માટે જ હવે રાહુલને મધ્યમક્રમની જવાબદારી આપી શકાય છે.

યુવા બેટ્સમેનોએ નિરાશ કર્યા છે. ચાહે તે પ્રભસિમરન સિંહ હોય કે પછી મનદીપ સિંહ. એ પણ થઇ શકે છે કે ટીમમાં હવે બદલાવ થઇ શકે, કરુણ નાયરને ફરી એકવાર મોકો આપી શકાય છે. બોલીંગના મામલામાં બદલાવની શકયતાઓ ઓછી લાગી રહી છે. મહંમદ શામી અને રવિ બિશ્નોઇ ટીમની મહત્વની કડીઓ છે. આરસીબી સામે ગઇ મેચમાં પંજાબે બે લેગ સ્પિનર ની રણનીતી અપવાની હતી અને જે અસરકારક સાબિત થઇ હતી. વિરાટ કોહલી અને ડિવીલીયર્સ બંને સસ્તામાં પેવેલીયન પહોંચ્યા હતા.

આ મેચમાં જો કોચ અનિલ કુંબલે આ જ પ્રકારની રણનિતી અપનાવે છે તો, મુજીબ ઉર રહમાનની જગ્યાએ મુરુગન અશ્વીન ને મેદાનમાં જોઇ શકાય છે. જોકે પંજાબે સતર્ક રહેવાની જરુર વઘારે છે, બેંગ્લોર પાસે લમં ઇન ફોર્મ બેટ્સમેન આક્રમણ વધારે છે. ઓપનર દેવદત્ત પડીક્કલ ને આરોન ફીંચ ફોર્મમાં છે. કોહલીનુ બેટ પણ હવે ચાલી રહ્યુ છે. ડીવીલીયર્સ પણ ગઇ મેચમાં શારજાહમાં જે રીતે બેટીંગ કરી હતી તે પણ પંજાબ માટે ખતરા ની ઘંટડી રુપ છે. આ બધા બેટીંગના પાસા જોતા પંજાબે સતર્ક જરુર રહેવુ પડશે. જો વિરાટ અને ડિવીલીયર્સ બંને એક સાગમટે ચાલી ગયા તો મજબુત બોલીંગ આક્રમણ પણ મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બેંગ્લોરની બોલીંગ પણ હાલમાં સારી રહી છે. ક્રિસ મોરીસના આવવા થી તેને મજબુતી વધી છે.ઇસુરુ ઉડાના એ ટીમ માટે ઉપયોગી યોગદાન આપ્યુ છે. સ્પિનર યુઝવેન્દ્રસિંહ ચહલ અને વોશિંગ્ટન સુંદરની જોડી કેકેઆર સામે જે જુગલ બંધી દેખાડી હતી તેવી જ ફરી એકવાર પંજાબ સામે જોવા મળી શકે છે. જે પંજાબ ના નબળા મધ્યમક્રમને માટે પરેશાનીનુ કારણ આ જોડી બની શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ કેપ્ટન વિરાટ કોહલી, આરોન ફિંચ, દેવદત્ત પડીક્કલ, પાર્થિવ પટેલ, એબી ડિવીલીયર્સ, ગુરુકીરત માન, શિવન દુબે, ક્રિસ મોરિસ, મૌશિંગ્ચન સુંદર, શાહબાજ અહમદ નવદિપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, ઇસુરુ ઉડાના, મોઇન અલી, જોશ ફીલીપ, પવન નેગી, પવન દેશ પાંડે, મોહમંદ સિરાજ અને ઉમેશ યાદવ.

કિંગ્સ ઇલેવન પંજાબ, લોકેશ રાહુલ કેપ્ટન, મયંક અગ્રવાલ, કરુણ નાયર, નિકોલસ પુરન, ગ્લેન મૈક્સવેલ, સરફરાઝ ખાન, કૃષ્ણપ્પા ગૌતમ, ક્રિસ જોર્ડન, મોહમદ શામી, મુરુગન અશ્વિન, મુજીબ ઉર રહેમાન,પ્રભસિમરન સિંહ, જેમ્સ નિસ્સમ, મનદિપ સિંઘ, શેલ્ડન કોટરેલ અને રવિ બિશ્નોઇ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">