T-20: કલક્તાની પરિસ્થિતીને લઇ શ્રીસંતે આપી દીધી આ સલાહ, કાર્તિકને હટાવી ઓયન મોર્ગનને કેપ્ટન બનાવવા કહ્યું
ટી-20 લીગની તેરમી સિઝનમાં કલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિક નુ બેટ હજુ સુધી ખામોસ છે. ટીમ એક બાજુ હારી રહી છે અનો બીજી તરફ કેપ્ટનનુ બેટ નહી ચાલવાને લઇને ટીમ પર દબાણ ખુબ વધતુ જઇ રહ્યુ છે. દિલ્હી સામે હાર મળ્યા બાદ હવે સોશિયલ મિડિયા પર દિનેશ કાર્તિક ને ખુબ ટ્રોલ કરવામા આવી રહ્યો […]
ટી-20 લીગની તેરમી સિઝનમાં કલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિક નુ બેટ હજુ સુધી ખામોસ છે. ટીમ એક બાજુ હારી રહી છે અનો બીજી તરફ કેપ્ટનનુ બેટ નહી ચાલવાને લઇને ટીમ પર દબાણ ખુબ વધતુ જઇ રહ્યુ છે. દિલ્હી સામે હાર મળ્યા બાદ હવે સોશિયલ મિડિયા પર દિનેશ કાર્તિક ને ખુબ ટ્રોલ કરવામા આવી રહ્યો છે. ટીમ ઇન્ડિયાના પુર્વ પેસ બોલર શ્રીસંતે પણ હવે કાર્તિક પર શાબ્દિક હુમલો કરી દીધો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દિલ્હી કેપીટલ્સે મેચમાં 229 રનનો વિશાલ સ્કોર ખડક્યો હતો. આવા સમયે પણ પોતાના બોલરોને ગાઇડ કરવામાં કાર્તિક પુર્ણ રુપે નિષ્ફળ રહ્યો હતો. ત્યાર બેટીંગ કરવા દરમ્યાન પણ માત્ર 06 રન બનાવીને તે પેવેલીયન પરત ફરી ગયો હતો. જ્યારે તે આઉટ થયો હતો, ત્યારે ટીમને 10 થી વધુ રન રેટની જરુર હતી. આ પહેલાની મેચમાં પણ તેણે 01 અને 00 રન જ કર્યા હતા.
હવે આવામાં શ્રીસંતે પણ કાર્તિક પર શાબ્દિક પ્રહાર કરી દીધા છે. શ્રીસંતે કહ્યુ હતુ કે, આ ખેલાડીને કેપ્ટન હોવુ નહી જોઇએ. ઇયાન મોર્ગનને ટીમનો કેપ્ટન બનાવવાની સલાહ પણ કરી દીધી છે. શ્રીસંતે ટ્વીટ કરી કહ્યુ હતુ કે, ઓયન મોર્ગને હવે ટીમની કેપ્ટનશીપ સંભાળવી જોઇએ. તે એક વલ્ડ કપ વિજેતા કેપ્ટન છે,. મને આશા છે કે કેકેઆર આ વાત પર ધ્યાન આપશે. તેમને એક એવા લીડરની જરુર છે કે જે રોહિ, વિરાટ અને ધોની ની માફક આગળ આવીને લીડ કરે.
Genuinely feel @Eoin16 should lead the side,(surly not*dk kolaimandaaaiii🐙 )World Cup winning captain should surly lead ipl side.I hope #kkr looks at this issue.nd win ✌🏻they need a leader who will lead from front like Rohit ,Dhoni or Virat..what a player #ipl #kkr #cricket
— Sreesanth (@sreesanth36) October 3, 2020
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો