T-20 Final: રોહિત શર્માએ સુનિલ ગાવાસ્કરને બે મિનીટમાં જ ખોટા સાબિત કરી દીધા, ગાવાસ્કરે કહ્યુ હું હવે ચુપ રહીશ
ટી-20 લીગની ફાઇનલ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાઇ રહી હતી. આ દરમ્યાન ચોથી ઓવર માટે સૌને આશા હતી કે બુમરાહ ઓવર લઇને આવશે, પરંતુ એમ થયુ નહોતુ. કેપ્ટન રોહિત શર્માએ જયંત યાદવના હાથમાં બોલ થમાવી દીધો હતો. આ વચ્ચે મેચના લાઇવ પ્રસારણ માટે ફાઇનલ મેચની હિન્હીમાં લાઇવ કોમેન્ટ્રી પુર્વ ભારતીય કેપ્ટન સુનિલ […]
ટી-20 લીગની ફાઇનલ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાઇ રહી હતી. આ દરમ્યાન ચોથી ઓવર માટે સૌને આશા હતી કે બુમરાહ ઓવર લઇને આવશે, પરંતુ એમ થયુ નહોતુ. કેપ્ટન રોહિત શર્માએ જયંત યાદવના હાથમાં બોલ થમાવી દીધો હતો. આ વચ્ચે મેચના લાઇવ પ્રસારણ માટે ફાઇનલ મેચની હિન્હીમાં લાઇવ કોમેન્ટ્રી પુર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવાસ્કર કરી રહ્યા હતા.
કોમેન્ટ્રી દરમ્યાન સુનિલ ગાવાસ્કરને સાથી કોમેન્ટેટર આકાશ ચોપડેા એ પુછ્યુ હતુ કે, આ કેવો નિર્ણય છે કે બુમરાહને બોલ નથી આપ્યો. આની પર ગાવાસ્કરે કહ્યુ હતુ કે આ ખુબ જ ખોટો નિર્ણય છે. કેપ્ટન રોહિત શર્માથી તેમને આ આશા નહોતી, પરંતુ રોહિતનો આ નિર્ણય જયંત યાદવના ત્રીજા બોલ પર જ યોગ્ય સાબીત થઇ ગયો હતો. જ્યારે જયંત યાદવે શિખર ધવન ને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. આમ આ રીતે સુનિલ ગાવાસ્કર આ રીતે ખોટા સાબિત થઇ ગયા હતા.
આવામાં જ્યારે જયંત યાદવને સફળતા મળી અને રોહિતના નિર્ણયની સરાહના થવા લાગી તો, હિટમેનની કેપ્ટનશીપના નિર્ણયની આલોચના કરનારા સુનિલ ગાવાસ્કરે જ કહી દીધુ કે હું ખોટો સાબિત થયો છુ. હવે હાલમાં કોમેન્ટ્રી નહી કરુ, હું હવે ચુપ રહીશ. ગાવાસ્કરના આલોચના કરવાના, જયંત યાદવનો વિકેટ લેવાનો અને રોહિત શર્માની તારીફ થવાનો આ સમયગાળો માત્ર બે મીનીટનો જ રહ્યો હતો. ત્યાર બાદ આકાશ ચોપડા અને અજીત અગારકરે કોમેન્ટ્રી ની કમાન સંભાળી હતી અને રોહિતની તારીફ પણ કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો