નિત્યાનંદ આશ્રમ કેસઃ બે સગીર બાળકોએ આશ્રમ બહાર જવાની ઈચ્છા કરી વ્યક્ત
નિત્યાનંદ આશ્રમ મામલે વધુ એક માહિતી સામે આવી છે. આશ્રમમાં રહેતા બે સગીર બાળકોએ આશ્રમની બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેને પગલે પોલીસે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને આશ્રમ ખાતે બોલાવી હતી. CWCની હાજરીમાં આ બંને બાળકોના નિવેદનો લેવાયા બાદ બાળકોના વાલીઓનો સંપર્ક કરવામાં આવશે. પોલીસ બાળકોના વાલીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરશે અને ત્યાર બાદ […]
નિત્યાનંદ આશ્રમ મામલે વધુ એક માહિતી સામે આવી છે. આશ્રમમાં રહેતા બે સગીર બાળકોએ આશ્રમની બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેને પગલે પોલીસે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને આશ્રમ ખાતે બોલાવી હતી. CWCની હાજરીમાં આ બંને બાળકોના નિવેદનો લેવાયા બાદ બાળકોના વાલીઓનો સંપર્ક કરવામાં આવશે. પોલીસ બાળકોના વાલીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરશે અને ત્યાર બાદ બાળકોને તેમના વાલીઓને સોંપાશે.
ઉલ્લેખનીય છે શરૂઆતમાં CWCની ટીમને આશ્રમમાં પ્રવેશ કરવા દેવામાં નહોતો આવ્યો. પરંતું ત્યાર બાદ પોલીસે આ ટીમને ડીપીએસના ગેટમાંથી આશ્રમમાં લઈ ગઈ હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો