સ્વાદ સુગંધ યુક્ત ઈલાયચી કરે છે સ્કીન પ્યોરીફાયરનું પણ કામ, વાંચો આ અહેવાલ
ભારતીય વાનગીઓમાં સૌથી અગત્યનો મસાલો ઈલાયચીને માનવામાં આવે છે. અત્યાર સુધી જો તમને એવું લાગતું હોય કે ઈલાયચી ખાવાથી ફક્ત ખાવાનો સ્વાદ અને સુગંધ જ વધે છે તો તમે ખોટું વિચારતા હતા. એલચીનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ વધારવાની સાથે તમારા આરોગ્ય અને સુંદરતામાં પણ વધારો કરે છે. Web Stories View more ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની […]
ભારતીય વાનગીઓમાં સૌથી અગત્યનો મસાલો ઈલાયચીને માનવામાં આવે છે. અત્યાર સુધી જો તમને એવું લાગતું હોય કે ઈલાયચી ખાવાથી ફક્ત ખાવાનો સ્વાદ અને સુગંધ જ વધે છે તો તમે ખોટું વિચારતા હતા. એલચીનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ વધારવાની સાથે તમારા આરોગ્ય અને સુંદરતામાં પણ વધારો કરે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
1). જો તમને ખીલની સમસ્યા રહેતી હોય તો તમે રાત્રે નિયમિતપણે સુતા પહેલા ગરમ પાણી સાથે એક એલચીનું સેવન કરો. તેનાથી તમારી ત્વચા સંબંધી મુશ્કેલીઓ દૂર થશે.
2). જો તમને પેટ સંબંધિત કોઈપણ સમસ્યા હોય. જો તમારું પેટ બગડતું રહેતું હોય અથવા તમારા વાળ ખૂબ ખરતા હોય તો આ બધી સમસ્યાથી બચવા તમે એલચીનું સેવન કરો. તેના માટે તમે સવારે ખાલી પેટે હૂંફાળા પાણીમાં એલચી નાંખીને પી શકો છો.
3). દિવસભરની ભાગદોડ બાદ થાકવા છતાં પણ જો તમને ઊંઘ આવવામાં મુશ્કેલી પડતી હોય તો તેનો ઉપાય પણ એલચી જ છે. અનિંદ્રા જેવી સમસ્યાના નિરાકરણ માટે પણ રાત્રે ઊંઘતા પહેલા ગરમ પાણી સાથે એલચીનું સેવન કરો. તમને ઊંઘ સારી આવશે અને નસકોરાથી પણ છુટકારો મળશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો