સુષમા સ્વરાજનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
ભાજપના નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના નિધન બાદ પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે પાર્ટીના મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યો હતો. પાર્થિવ દેહને બપોરે 2 વાગ્યે જનતા દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે રાજધાની સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે લોધી સ્મશાનગૃહ પર લઈ જવામાં આવ્યો હતો. Web Stories View more 30 […]
ભાજપના નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના નિધન બાદ પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે પાર્ટીના મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યો હતો. પાર્થિવ દેહને બપોરે 2 વાગ્યે જનતા દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે રાજધાની સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે લોધી સ્મશાનગૃહ પર લઈ જવામાં આવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સુષમા સ્વરાજની દિકરી બાંસુરી સ્વરાજે અંતિમસંસ્કારની તમામ વિધી પૂર્ણ કરી હતી. સુષમા સ્વરાજના નિધન પર દેશ અને દુનિયાના દિગ્ગજ નેતાઓએ દુખ વ્યક્ત કર્યુ છે. ત્યારે વડાપ્રધાન મોદી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓ સુષમ સ્વરાજના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]