સુરતના પાલ-ઉમરા બ્રિજ વિવાદ! 95% કામ પૂર્ણ છતાં કામગીરી આગળ વધી નથી, 10 લાખ લોકોનો સમય અને પેટ્રોલનો થઈ રહ્યો છે બગાડ
સુરતના પાલ-ઉમરા બ્રિજનું કામ પૂર્ણ કરવા હવે કોર્પોરેશને કડક કાર્યવાહી હાથ ધરી છે. અનેક સમજાવટ બાદ અસરગ્રસ્તો અન્યત્ર સ્થળાતંરીત ન થતા SMC હવે દબાણ હટાવવાની કામગીરી કરશે. છેલ્લા 4 વર્ષોથી બ્રિજનું કામ 95 ટકા પૂર્ણ થઈ ગયું હતું પણ માત્ર 5 ટકા જેટલું કામ અસરગ્રસ્તોની અસંમતીને કારણે અટકી પડ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે કડક વલણ અપનાવતા […]
સુરતના પાલ-ઉમરા બ્રિજનું કામ પૂર્ણ કરવા હવે કોર્પોરેશને કડક કાર્યવાહી હાથ ધરી છે. અનેક સમજાવટ બાદ અસરગ્રસ્તો અન્યત્ર સ્થળાતંરીત ન થતા SMC હવે દબાણ હટાવવાની કામગીરી કરશે. છેલ્લા 4 વર્ષોથી બ્રિજનું કામ 95 ટકા પૂર્ણ થઈ ગયું હતું પણ માત્ર 5 ટકા જેટલું કામ અસરગ્રસ્તોની અસંમતીને કારણે અટકી પડ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે કડક વલણ અપનાવતા જણાવ્યું કે માત્ર 10-12 લોકોને કારણે આખા શહેરને બાનમાં લેવામાં આવશે નહી. અસરગ્રસ્તો જો કાર્યવાહી પહેલા સંમત થયા હોત તો તેમને વળતર મળી શક્યું હોત પણ હવે જ્યારે કાર્યવાહી શરૂ થઇ ગઇ છે તેથી તેમને કોઈપણ વળતર પણ મળી શકશે નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: બજેટમાં ખેડૂતોને ઉગારવા થવા જોઈએ પ્રયાસ, ખેતપેદાશોના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતોને આશા