સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો કેસ, સુપ્રીમ કોર્ટે હાલ દોષિતને ફાંસી આપવા પર લગાવી રોક
સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસના દોષિતને હાલ ફાંસી નહીં થાય. સુપ્રીમ કોર્ટે હાલ ફાંસી પર રોક લગાવી દીધી છે. સુરતની કોર્ટે દોષિત અનિલ યાદવનો ડેથ વોરંટ જાહેર કર્યુ હતુ અને 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનો આદેશ કર્યો હતો. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ […]
સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસના દોષિતને હાલ ફાંસી નહીં થાય. સુપ્રીમ કોર્ટે હાલ ફાંસી પર રોક લગાવી દીધી છે. સુરતની કોર્ટે દોષિત અનિલ યાદવનો ડેથ વોરંટ જાહેર કર્યુ હતુ અને 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનો આદેશ કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે વરિષ્ઠ વકીલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે દોષિત પાસે 60 દિવસનો સમય છે. તેથી તે પહેલા ડેથ વોરંટ જાહેર ન કરી શકાય. આ દલીલને ધ્યાનમાં રાખી હાલ સુપ્રીમ કોર્ટે ફાંસી પર રોક લગાવી દીધી છે. એટલું જ નહીં ચીફ જસ્ટિસે આ વાત પર સહમતિ આપતા કહ્યું કે દરેક કાયદાકીય વિકલ્પ પૂર્ણ ન થાય તે પહેલા ડેથ વોરન્ટ આપી ન શકાય.
મહત્વનું છે કે સુરતની કોર્ટે અનિલ યાદવને પોસ્કો હેઠળ ફાંસીની સજા સંભળાવી હતી. આ સજાને ગુજરાત હાઈકોર્ટે યથાવત્ રાખી હતી. ત્યારબાદ 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનો આદેશ કર્યો હતો. જો કે હવે સુપ્રીમ કોર્ટે દોષિતને હાલ ફાંસી આપવા પર રોક લગાવી દીધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: ટ્રમ્પની અમદાવાદ મુલાકાત, ઝુંપડપટ્ટી બાદ હવે વિવાદિત દિવાલને પણ ઢાંકવાનો તંત્રનો પ્રયાસ