સુરતમાં TRB જવાનોમાં વિવાદી પરિપત્રને લઈને ઉકળતા ચરુ જેવી સ્થિતિ પણ કાર્યવાહીના ડરે બધા મૌન!
સુરતમાં ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે ભરતી કરાયેલા ટ્રાફિક જવાનો તેમની કામગીરીને લઈને વિવાદમાં રહ્યા છે પણ હવે આજ TRB જવાનો માટે ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રને કારણે શહેરના TRB જવાનોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પાછલા કેટલાક મહિનાઓથી રૂપિયાની લેતી દેતી અને અન્ય વિવાદોને કારણે સુરતના […]
સુરતમાં ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે ભરતી કરાયેલા ટ્રાફિક જવાનો તેમની કામગીરીને લઈને વિવાદમાં રહ્યા છે પણ હવે આજ TRB જવાનો માટે ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રને કારણે શહેરના TRB જવાનોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પાછલા કેટલાક મહિનાઓથી રૂપિયાની લેતી દેતી અને અન્ય વિવાદોને કારણે સુરતના ટ્રાફિક બ્રિગેડના જવાનોની કામગીરી ચર્ચામાં આવી હતી પણ અમુક ભ્રષ્ટાચારી ટ્રાફિકના જવાનોને કારણે દરેકને ભોગવવાનો વારો આવ્યો છે એવી ચર્ચા ઉઠી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વાત જાણે એમ છે કે હવેથી ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ભરતી થવા માટે 10 હજાર ડિપોઝીટ જમા કરાવવાની રહેશે. જે પહેલા 20 હજાર હતી પણ તેમાં પણ વિરોધનો સુર વ્યક્ત થતાં ડિપોઝીટની રકમ ઘટાડવામાં આવી હતી. હવે આ જવાનોએ 10 મહિનામાં 600 રૂપિયાના હપ્તા સાથે આ રકમ જમા કરાવવાની રહેશે. નોંધનીય છે કે આ TRB જવાનોને સરકાર 300 રૂપિયાનું માનદ વેતન આપે છે. તેવામાં હવે જો આ જવાનો જો એક દિવસ પણ ગેરહાજર રહેશે તો 300 રૂપિયા વેતનની સાથે બીજા 100 રૂપિયા ડિપોઝિટની રકમમાંથી કપાત કરી લેવામાં આવશે. આ ઉપરાંત જો TRBનો જવાન એક વર્ષની અંદર નોકરી છોડે તો તેને ડિપોઝિટની રકમ પણ મળવાપાત્ર રહેશે નહીં.
આ પરિપત્રનો વિરોધ એટલે જોવા મળી રહ્યો છે કે અમુક ભ્રષ્ટાચારી જવાનોને લીધે જે લોકો ખરેખર રોજીરોટી રળવા સુરતના અંતરિયાળ ગામોમાંથી આવે છે, તેમના માટે મુશ્કેલી ઉભી થઈ છે. પરિવાર માટે નજીવી રકમ કમાતા આવા જવાનોને ડિપોઝીટ અને કપાતના આ નવા નિયમ સામે નારાજગી છે પણ કાર્યવાહીના ડરે તેઓ કંઈ બોલી શકતા નથી. તેવામાં આ પરિપત્ર પર ફેરવિચારણા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો