સુરતમાં કોરોનાનો રેટ 90% પર પહોંચ્યો, જુના દર્દીઓમાં કોમ્પ્લિકેશન વધ્યા

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા સુરત મ્યુનિસિપલ કમિશનરે ફેસબુકના માધ્યમથી સુરતીઓને માહિતી આપી હતી. જેમાં તેમણે કેટલીક ખાસ બાબતો પ્રત્યે સુરતીઓને ધ્યાન આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હવે સુરતમાં કોરોનાનો રિકવરી રેટ 90% પર પહોંચ્યો છે જ્યારે મૃત્યુદર ઘટીને 2.5 % થયો છે. બહારથી આવતા લોકોમાં કોરોનાની પોઝિટિવિટી વધારે જોવા મળી છે. ખાસ […]

સુરતમાં કોરોનાનો રેટ 90% પર પહોંચ્યો, જુના દર્દીઓમાં કોમ્પ્લિકેશન વધ્યા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 23, 2020 | 3:23 PM

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા સુરત મ્યુનિસિપલ કમિશનરે ફેસબુકના માધ્યમથી સુરતીઓને માહિતી આપી હતી. જેમાં તેમણે કેટલીક ખાસ બાબતો પ્રત્યે સુરતીઓને ધ્યાન આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હવે સુરતમાં કોરોનાનો રિકવરી રેટ 90% પર પહોંચ્યો છે જ્યારે મૃત્યુદર ઘટીને 2.5 % થયો છે.

બહારથી આવતા લોકોમાં કોરોનાની પોઝિટિવિટી વધારે જોવા મળી છે. ખાસ કરીને રેલવે સ્ટેશન અને ટોલ નાકા પર ચેકીંગ દરમ્યાન પોઝિટિવ કેસો વધુ મળી આવ્યા છે. રેલવે સ્ટેશન પર 3 ટકા પોઝિટિવિટી જોવા મળી છે. ટોલનાકા પર 19394 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 380 પોઝિટીવ કેસ જોવા મળ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સુરતમાં 1,34,000 લેબરર્સ ફરી રિટર્ન થયા છે જેમનું રોજેરોજ ચેકીંગ કરવામાં આવ્યું છે. ડાયમંડ ઉધોગમાં 9981 ટેસ્ટ ડાયમંડ યુનિટમાં પણ કરવામાં આવ્યા છે, જેમાંથી 329 પોઝિટિવ મળ્યા છે.જ્યારે ટેકસ્ટાઈલમાં 7660 ટેસ્ટમાંથી 287 કેસ પોઝિટિવ મળ્યા..

ટેક્સટાઇલ એરિયામાં વધારે કેસો મળતા તકેદારી રાખવી જરૂરી હોવાનું કમિશનરે જણાવ્યું છે.હવે સુપર સ્પ્રેડરોની સાથે સુપર સ્પ્રેડિંગ વેન્યુને પણ શોધવામાં આવી રહ્યા છે. લોકો બર્થડે, મેરિજ સેલિબ્રેશન માટે બેંકવેટ હોલ બુક કરી રહ્યા છે. પણ લોકો ત્યાં પણ તકેદારી રાખે તે જરૂરી છે. ગેસ્ટ લિસ્ટ વ્યવસ્થિત મેઇન્ટેઇન કરવા જરૂરી છે.

શનિવાર રવિવારે લોકો મોટી સંખ્યામાં બહાર નીકળી રહ્યા છે જે ચિંતાજનક છે. અગાઉ કોરોના સંક્રમિત થયેલા લોકોમાં ફરી મુશ્કેલી ઉભી રહી છે. જેથી ફોલોઅપ સેન્ટર પણ ઉભા કરવામાં આવી રહ્યા છે. 3-4 મહિના પછી પણ ઘણા કોમ્પ્લિકેશન સામે આવી રહ્યા છે

કેટલાક સ્થળે ટ્યુશન કલાસીસ શરૂ કરવામાં આવ્યા છે જેને હાલમાં મંજૂરી નથી. લોકો હજી પણ માસ્ક વગર ફરી રહ્યા છે તે મુશ્કેલી ઉભી કરી શકે છે. તેનાથી સંક્રમણનો ભય વધારે છે.હોટેલ અને રેસ્ટોરન્ટમાં જતા લોકોને પણ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">