સૂરજમુખીના બીજ ખાવાથી શરીરને થશે આ ફાયદા
સૂર્યમુખીના બીજ સૂર્યમુખીના ફુલમાંથી બનાવવામાં આવે છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સનફ્લાવર સિડ્સમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં આવેલું છે. ઉપરાંત તેમાં પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે રીતે સૂકા મેવા અને અન્ય સિડઝમાં પણ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે. સૂર્યમુખીના બીજ ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તે કેન્સરથી દૂર રાખે […]
સૂર્યમુખીના બીજ સૂર્યમુખીના ફુલમાંથી બનાવવામાં આવે છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સનફ્લાવર સિડ્સમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં આવેલું છે. ઉપરાંત તેમાં પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે રીતે સૂકા મેવા અને અન્ય સિડઝમાં પણ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે. સૂર્યમુખીના બીજ ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તે કેન્સરથી દૂર રાખે છે. તે મસલ કેમ્પ અને માથાના દુખાવાને નિયંત્રિત કરે છે. તેના કારણે ત્વચા કોમળ થાય છે અને તે એન્ટી એજિંગ પણ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સૂર્યમુખીના બીજના ફાયદા:
સૂર્યમુખીના બીજ હાર્ટના રોગોથી દૂર રાખે છે. સૂર્યમુખીના બીજમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં છે. તેમ વધુ પડતા સોજા અને વોટર રિટેનશન, હાર્ટના વધુ પડતા રોગો ઓછા કરે છે. ઉપરાંત કેન્સર, સ્ટ્રોક, ડાયાબીટીસ અને અલઝાઈમર્સ તથા પાર્કિન્સન્સના રોગને દૂર રાખે છે. દરરોજ સનફલાવર સિડઝ ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવે છે.
સનફલાવર સિડઝ કેન્સર સામે શરીરને રક્ષણ આપે છે. સનફલાવરમાં આવેલા પોષકતત્વો કેન્સરની ગાંઠને વધવા દેતા નથી. તેમાં આવેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સરને આગળ વધતું અટકાવે છે. દિવસ દરમ્યાન વચ્ચે વચ્ચે અથવા મોડી રાત્રે બહુ ભૂખ લાગે તો થોડા સનફલાવર સિડઝ ખાઈ, પાણી પી લેવાથી ભૂખ મટી જાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો