દિલ્હી હિંસાને લઈને NCP-શિવસેનાએ કરી અમિત શાહના રાજીનામાની માગણી
એનસીપીએ પણ દિલ્લીની ઘટનાને વખોડી હતી. એનસીપીના નેતા સુપ્રીયા સૂળેએ તો આ મામલે ત્યાં સુધી કહી દીધું કે દિલ્લીમાં જે થયું તે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે અને આ માટે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રાજીનામું આપી દેવું જોઈએ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]
એનસીપીએ પણ દિલ્લીની ઘટનાને વખોડી હતી. એનસીપીના નેતા સુપ્રીયા સૂળેએ તો આ મામલે ત્યાં સુધી કહી દીધું કે દિલ્લીમાં જે થયું તે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે અને આ માટે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રાજીનામું આપી દેવું જોઈએ.
આ પણ વાંચો : દિલ્હીની કેજરીવાલ સરકારે કન્હૈયા કુમારને આપ્યો મોટો ઝટકો, વાંચો વિગત
શિવસેના અને એનસીપીની સાથે હવે કોંગ્રેસ પણ દિલ્લીમાં થયેલી ઘટનાને લઈને કોંગ્રેસ પણ મેદાને આવી છે. મુંબઈના રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસે મૌન વિરોધ આંદોલન કર્યું. કોંગ્રેસે દિલ્લીમાં થયેલી હિંસા મુદ્દે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માગ્યું. આ મૌન વિરોધ આંદોલનમાં એકનાથ ગાયકવાડ સહિતના નેતાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો