સુપ્રીમ કોર્ટમાં આજે નિર્ણાયક દિવસ, સબરીમાલા,રાફેલ અને રાહુલ ગાંધી પર અવમાનનાના કેસ પર આવશે ચુકાદો

સુપ્રીમ કોર્ટમાં આજે મોટા નિર્ણયોનો દિવસ છે. રાફેલ વિમાન સોદો, સબરીમાલા વિવાદ પર દાખલ કરવામાં આવેલી પુન:વિચાર અરજી પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના અવમાનના કેસ અંગે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદા પર પણ નિર્ણય સંભળાવશે. સબરીમાલા કેસ પર નિર્ણય કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સુપ્રીમ […]

સુપ્રીમ કોર્ટમાં આજે નિર્ણાયક દિવસ, સબરીમાલા,રાફેલ અને રાહુલ ગાંધી પર અવમાનનાના કેસ પર આવશે ચુકાદો
Follow Us:
| Updated on: Nov 14, 2019 | 4:26 AM

સુપ્રીમ કોર્ટમાં આજે મોટા નિર્ણયોનો દિવસ છે. રાફેલ વિમાન સોદો, સબરીમાલા વિવાદ પર દાખલ કરવામાં આવેલી પુન:વિચાર અરજી પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના અવમાનના કેસ અંગે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદા પર પણ નિર્ણય સંભળાવશે.

સબરીમાલા કેસ પર નિર્ણય

કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નિર્ણય આપ્યો હતો. કોર્ટે 10થી50 વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાની પરવાનગી આપી હતી. કોર્ટના આ નિર્ણય પર ઘણી પુન:વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી છે. આજે સુપ્રીમ કોર્ટ કુલ 65 અરજી પર પોતાનો નિર્ણય સંભળાવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમાં 56 પુન:વિચાર અરજી, 4 નવી અરજી અને 5 ટ્રાન્સફર અરજીઓ છે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ આર.એફ.નરીમન, જસ્ટિસ એ.એમ.ખાનવિલકર, જસ્ટિસ ડિવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા કરી રહ્યા છે. ખંડપીઠે 6 ફેબ્રુઆરીના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

રાફેલ વિમાન પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય

રાફેલ વિમાન સોદા પર સુપ્રીમ કોર્ટ આજે પુન:વિચાર અરજી પર નિર્ણય સંભાળવશે. કેન્દ્ર સરકાર દ્વારા ફ્રાન્સની સાથે કરેલા કરાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા, ત્યારબાદ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં આ મામલાની તપાસ, ખરીદવાની પ્રક્રિયા, PMOના હસ્તક્ષેપ અંગે પ્રશ્નો ઉભા થયા હતા. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કેન્દ્ર સરકારને રાહત આપી હતી.

આ પણ વાંચો : સબરીમાલામાં પ્રવેશ કરનારી બે મહિલાઓમાંથી એકને સાસરિયાંઓએ ઘરની બહાર કાઢી મૂકી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારબાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા, અરૂણ શૌરી અને વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં પુન:વિચાર અરજી દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.કે.કૌલ, જસ્ટિસ કે.એમ.જોસેફની બેન્ચ આ મામલે નિર્ણય સંભળાવી રહી છે.

રાહુલ ગાંધી પર અવમાનનાનો કેસ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર દાખલ કરવામાં આવેલા અવમાનના કેસમાં સુપ્રીમ કોર્ટ આજે જ પોતાનો નિર્ણય સંભળાવશે. લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે સુપ્રીમ કોર્ટ તરફથી રાફેલ વિવાદ પર નિર્ણય આવ્યો હતો, ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે માની લીધું છે કે ચોકીદાર ચોર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારબાદ ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને રાહુલ ગાંધી પર રાજનીતિમાં સુપ્રીમ કોર્ટનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટ આ કેસ પર નિર્ણય સંભળાવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">