કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ગુલામ નબી આઝાદને કાશ્મીર જવાની મંજૂરી પરંતુ આ કામગીરી કરી શકશે નહીં
સુપ્રીમ કોર્ટમાં સોમવારે જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી 8 અરજી પર સુનાવણી યોજાઈ હતી. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદની અરજી પર સુનાવણી દરમિયાન કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંધવીએ પક્ષ રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુલામ નબી આઝાદને કાશ્મીર જવા માટે મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન તેઓ 4 જિલ્લાની મુલાકાત કરશે. રોચક […]
સુપ્રીમ કોર્ટમાં સોમવારે જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી 8 અરજી પર સુનાવણી યોજાઈ હતી. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદની અરજી પર સુનાવણી દરમિયાન કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંધવીએ પક્ષ રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુલામ નબી આઝાદને કાશ્મીર જવા માટે મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન તેઓ 4 જિલ્લાની મુલાકાત કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે તેઓ કોઈ રાજનૈતિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. કાશ્મીરની મુલાકાત બાદ સુપ્રીમ કોર્ટને એક રિપોર્ટ આપવો પડશે. આ તમામ મામલે કેન્દ્રને નોટિસ અપાઈ છે.
સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ ગુલામ નબી આઝાદ, બારામૂલા, અનંતનાગ, શ્રીનગર અને જમ્મુની મુલાકાત કરશે. ગુલામ નબી આઝાદ તરફથી કોર્ટને વિશ્વાસ અપાવ્યો કે તેઓ કોઈ રેલી યોજશે નહીં. મહત્વનું છે કે, ગુલામ નબી આઝાદે સુપ્રીમ કોર્ટમાં અરજી દ્વારા કહ્યું કે, મને મારા પરિવાર સાથે મુલાકાત માટે મંજૂરી આપવી જોઈએ.