રાફેલ પર મોદી સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે તમામ પુન:વિચાર અરજીઓ રદ કરી

સુપ્રીમ કોર્ટ તરફથી રાફેલ વિમાન સોદામાં મોદી સરકારને મોટી રાહત મળી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે રાફેલ સોદા મામલે દાખલ કરવામાં આવેલી તમામ પુન:વિચાર અરજીઓને રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય આપતા અરજીકર્તાઓ દ્વારા સોદાની પ્રક્રિયામાં ગડબડની દલીલો રદ કરી છે. Web Stories View more 1 શેર પર ટાટા કંપની […]

રાફેલ પર મોદી સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે તમામ પુન:વિચાર અરજીઓ રદ કરી
Follow Us:
| Updated on: Nov 14, 2019 | 6:25 AM

સુપ્રીમ કોર્ટ તરફથી રાફેલ વિમાન સોદામાં મોદી સરકારને મોટી રાહત મળી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે રાફેલ સોદા મામલે દાખલ કરવામાં આવેલી તમામ પુન:વિચાર અરજીઓને રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય આપતા અરજીકર્તાઓ દ્વારા સોદાની પ્રક્રિયામાં ગડબડની દલીલો રદ કરી છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને લાગતુ નથી કે આ મામલે કોઈ FIR દાખલ થવી જોઈએ કે પછી કોઈ પ્રકારની તપાસ કરવામાં આવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે એ વાતને નજરઅંદાજ નથી કરી શકતા કે આ મામલે એક કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા સોંગદનામામાં થયેલી ભૂલનો સ્વીકાર કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાફેલ વિમાન સોદા મામલે સુપ્રીમ કોર્ટના 2018ના આદેશ પર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સહિત અન્ય લોકો તરફથી પુન:વિચાર અરજી દાખલ કરી હતી. આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે.એમ.જોસેફની ખંડપીઠે નિર્ણય આપ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોર્ટમાં દાખલ અરજીમાં સોદામાં ભ્રષ્ટચારના આરોપ લગાવ્યા હતા. ‘લીક’ દસ્તાવેજોના આરોપ લગાવ્યા હતા કે સોદામાં PMOએ રક્ષા મંત્રાલયને વિશ્વાસમાં લીધા વગર પોતાની રીતે વાતચીત કરી હતી. કોર્ટમાં વિમાન ડીલની કિંમતને લઈને પણ અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તેમના છેલ્લા નિર્ણયમાં કહ્યું હતું કે યોગ્ય પુરાવા વગર તે રક્ષા સોદામાં કોઈ પણ હસ્તક્ષેપ નહીં કરે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની 5 જ્જની ખંડપીઠે સબરીમાલા કેસ મામલે દાખલ પુન:વિચાર અરજીઓને મોટી ખંડપીઠની પાસે મોકલી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">