SMCનો આ છે સ્માર્ટ વહીવટ! લીંબાયત વિસ્તારમાં આગોતરી જાણ વગર પાણીનો સપ્લાય બે દિવસથી બંધ
સુરત મહાનગરપાલિકાએ સ્માર્ટ સીટી અને સ્વચ્છ સિટીના નામથી અનેક એવોર્ડ પોતાની ઝોળીમાં લઈ લીધા છે પણ જ્યારે વાત આવે વહીવટની તો હજીય મનપાનું ખાતું અંધેર છે. સુરતમાં આ વખતે ચોમાસામાં ખાડી કિનારે રહેતા લોકોને એક બે વખત નહીં પણ પાંચ વાર ખાડીપુરનો સામનો કરવો પડ્યો હતો પણ હવે જ્યારે ચોમાસએ વિદાય લીધી છે, છતાં લોકોને […]
સુરત મહાનગરપાલિકાએ સ્માર્ટ સીટી અને સ્વચ્છ સિટીના નામથી અનેક એવોર્ડ પોતાની ઝોળીમાં લઈ લીધા છે પણ જ્યારે વાત આવે વહીવટની તો હજીય મનપાનું ખાતું અંધેર છે. સુરતમાં આ વખતે ચોમાસામાં ખાડી કિનારે રહેતા લોકોને એક બે વખત નહીં પણ પાંચ વાર ખાડીપુરનો સામનો કરવો પડ્યો હતો પણ હવે જ્યારે ચોમાસએ વિદાય લીધી છે, છતાં લોકોને પાણીની સમસ્યાથી છુટકારો મળ્યો નથી. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા અનવરનગર અને આંબેડકરનગર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પીવાના પાણીની રામાયણ જોવા મળી છે. બે દિવસથી પીવાના પાણીના ફાંફાં પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સ્માર્ટ વહીવટ કરવામાં આવતો હોવાના બણગાં ફૂંકતી સુરત મહાનગરપાલિકા હજી સુધી આ સમસ્યા દૂર કરી શકી નથી અને પરિસ્થિતિ એ આવી ગઈ છે કે આજે અહીંના સ્થાનિકોને ટેન્કર મારફતે પાણી પહોંચાડવું પડી રહ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાઈકલવાળાએ આક્ષેપ કર્યો છે કે આ વર્ષે ચોમાસુ ભરપૂર છે, ઉકાઈ ડેમ છલોછલ છે, તાપી અને કોઝવેમાં પણ ભરપૂર પાણી છે છતાં લીંબાયત વિસ્તારના લોકોને કોઈપણ આગોતરી જાણકારી આપ્યા વગર સુરત મનપા પીવાના પાણીનો સપ્લાય બંધ કેવી રીતે કરી શકે ?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો