‘કળિયુગના શ્રવણ’ મહેસાણાના રાજેશ પટેલ 1 હજાર વૃદ્ધોને તીર્થ યાત્રા પર લઈ જશે, જુઓ VIDEO
જયારે માતા-પિતા વૃદ્ધ અને કમજોર થાય છે ત્યારે તેમને તેમના પુત્રોના સહારાની જરૂર પડતી હોય છે. પરંતુ આજના સમયમાં કેટલાક યુવાનો પોતાની ફરજ ભૂલી જાય છે. માતા-પિતાને બોજ સમજી ઘરડા ઘર કે વૃદ્ધાશ્રમમાં મુકી આવે છે. ત્યારે મહેસાણાના બહુચરાજીના સીતાપૂર ગામનો યુવાન શ્રવણ બન્યો છે. રાજેશ પટેલ નામનો યુવાન 1,107 સિનિયર સિટીઝનને વિના મૂલ્યે […]
જયારે માતા-પિતા વૃદ્ધ અને કમજોર થાય છે ત્યારે તેમને તેમના પુત્રોના સહારાની જરૂર પડતી હોય છે. પરંતુ આજના સમયમાં કેટલાક યુવાનો પોતાની ફરજ ભૂલી જાય છે. માતા-પિતાને બોજ સમજી ઘરડા ઘર કે વૃદ્ધાશ્રમમાં મુકી આવે છે. ત્યારે મહેસાણાના બહુચરાજીના સીતાપૂર ગામનો યુવાન શ્રવણ બન્યો છે. રાજેશ પટેલ નામનો યુવાન 1,107 સિનિયર સિટીઝનને વિના મૂલ્યે યાત્રાધામે લઈ જાય છે. તેના આ ધાર્મિક કામની નોંધ ધ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ લેવામાં આવી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કહેવાય છે કે ભુલો ભલે બીજું બધું મા-બાપને ભુલશો નહીં. પરંતુ આ કળિયુગમાં અનેક એવા ઉદાહરણ જોવા મળે છે, જેમાં પુત્ર માતા-પિતાને ત્યજી દે છે. ત્યારે મહેસાણાના બહુચરાજીમાં આવેલા સીતાપુર ગામના રહેવાસી રાજેશ પટેલે 1,107 વડીલોને નિશુલ્ક ધાર્મિક યાત્રા કરાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો.
રાજેશ પટેલે 26 લાખ રૂપિયાના ખર્ચે સિનિયર સિટીઝનને હરિદ્રાર જેવા યાત્રાધામ લઈ જઈને દર્શન કરાવ્યા. એટલું જ નહીં હવે તેઓ 1 હજાર સિનિયર સિટીઝનને ધાર્મિક પ્રવાસે લઈ જશે. આમ કૂલ 2100 વૃદ્ધ વડીલ માટે રાજેશ પટેલ હળાહળ કળિયુગમાં પણ સતયુગના શ્રવણ બન્યા છે. આ પ્રવાસમાં રેલવે બુકિંગ, રહેવા-જમવાની વ્યવસ્થા તથા સાઈટ સીનના ખર્ચ સાથે કૂલ 45 લાખ રૂપિયાનો ખર્ચ કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો