‘બીમાર ગુજરાત’ સરકારે વિધાનસભામાં જાહેર કર્યા બિમારીના ચોંકાવનારા આંકડાઓ
આમ તો રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં ઉમદા કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવે છે. ‘સ્વસ્થ ગુજરાત તંદુરસ્ત ગુજરાત’ સ્લોગન હેઠળ અનેક કેમ્પેઈન પણ ચાલતા હોવાનો પણ દાવો કરવામાં આવે છે. જો કે વિધાનસભા સત્ર દરમિયાન સરકારે જે રીતે ગુજરાતમાં બિમારીના આંકડા જાહેર કર્યા તે આ તમામ સ્લોગનો માત્રને માત્ર કાગળ પર હોય તેની પ્રતીતિ […]
આમ તો રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં ઉમદા કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવે છે. ‘સ્વસ્થ ગુજરાત તંદુરસ્ત ગુજરાત’ સ્લોગન હેઠળ અનેક કેમ્પેઈન પણ ચાલતા હોવાનો પણ દાવો કરવામાં આવે છે. જો કે વિધાનસભા સત્ર દરમિયાન સરકારે જે રીતે ગુજરાતમાં બિમારીના આંકડા જાહેર કર્યા તે આ તમામ સ્લોગનો માત્રને માત્ર કાગળ પર હોય તેની પ્રતીતિ કરાવે છે અને અન્ય રાજ્યોની જેમ ગુજરાત પણ બિમારીનું ઘર બની રહ્યું હોય તેવું ખુદ સરકારના આંકડા દર્શાવી રહ્યા છે.
આ જ કારણ છે કે કોંગ્રેસ દ્વારા ‘બિમાર ગુજરાત’ જેવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવી રહ્યું છે, વિધાનસભા સત્રની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે રાજ્યભરમાં સ્વાઈન ફલૂ, મેલેરિયા, ડેન્ગ્યૂ તથા કોંગો ફીવરના કારણે અસરગ્રસ્ત થયેલા તેમજ મૃત્યુ પામ્યા હોય તેવા દર્દીઓના આંકડાને ધારાસભ્યો દ્વારા પ્રશ્નોત્તરીમાં માંગ કરવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેના જવાબ ચોંકાવનારા મળ્યા છે માત્ર છેલ્લા એક વર્ષમાં સ્વાઈન ફ્લૂના 7,008 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 26,045 લોકોને ડેન્ગ્યુ થયો છે, મેલેરિયાનો આંકડો પણ 35,999 પર પહોંચ્યો છે. ત્યારે ચિકનગુનિયાના પણ રાજ્યભરમાં 1,985 કેસ નોંધાયા છે. જ્યારે અતિગંભીર માનવામાં આવતા કોંગો ફિવરના 37 દર્દીઓ નોંધાયા છે.
અહીં એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે આ તમામ આંકડાઓ સરકારી હોસ્પિટલના એટલે કે સરકારી ચોપડે નોંધાયેલા દર્દીઓ છે. આ સિવાય પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર કરનાર કરાવનાર દર્દીઓનો આંકડો કેટલો ક્રોસ કરી ગયો હશે તે હજુ બહાર આવ્યું નથી. જો કે સરકારના આરોગ્ય વિભાગને કેટલાક કિસ્સામાં દર્દીનો જીવ બચાવવામાં સફળતા મળી છે તો કેટલાક કિસ્સાઓમાં દર્દીઓને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.
ફ્લૂના કારણે છેલ્લા એક વર્ષમાં 251 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ડેન્ગ્યુના કારણે 22 લોકોએ જીવ ગુમાવ્યો છે તો કોંગો ફીવરમાં પણ સતત લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સરકાર પર સદનમાં આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જો કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા તમામ આક્ષેપોને રદિયો આપવામાં આવ્યો હતો અને માત્ર ગુજરાત નહીં, પરંતુ નજીકના રાજ્યો અને વિદેશમાંથી પણ લોકો સરકારી આરોગ્ય સેવાનો લાભ લેવા ગુજરાત આવતા હોય છે એ સરકારની સફળતા કહેવાય એવી સ્પષ્ટતા કરી હતી.
જો કે વિવિધ રોગો અને રોગોના કારણે થયેલા મૃત્યુના આંકડાઓ સાથે પ્રાઈવેટ હોસ્પિટલોમાં દર્દીઓ સાથે કરાતી મનમાની પણ સામે આવી છે. અમદાવાદની જ 7થી વધુ હોસ્પિટલો એવી છે, જ્યાં દર્દીઓ પાસે ‘માં કાર્ડ’ તથા ‘માં અમૃતમ કાર્ડ’ હોવા છતાં ઈલાજના પૈસા લેવામાં આવ્યા છે આ અંગે પ્રશ્ન પૂછાતા સરકારે 8 હોસ્પિટલોના નામ આપ્યા છે. જેમાં આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં પણ આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જેમાં છેલ્લા 1 વર્ષમાં ‘માં કાર્ડ’ અંતર્ગત સારવાર ના આપવા બાબતની 8 ફરિયાદ નોંધાઈ છે. અલગ અલગ કારણોસર સારવાર નહીં આપવાની ફરિયાદ થઈ છે. જેમાં શેલબી હોસ્પિટલ નરોડા,સ્ટર્લિંગ હોસ્પિટલ, ન્યુરો-1, નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્વયંભૂ હોસ્પિટલ અને સેન્ટ્રલ હોસ્પિટલ સામે સરકારમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં સરકાર આગામી દિવસમાં કડક કાર્યવાહી કરશે તેવું આશ્વાસન આપ્યું છે.
આ પણ વાંચો: Women’s T20 World Cup: સેમીફાઈનલમાં પહોંચનારી ભારત પ્રથમ ટીમ, ન્યૂઝીલેન્ડને 3 રનથી હરાવ્યું
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]