મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને આપશે આરક્ષણ!
મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને શિક્ષાના ક્ષેત્રે આરક્ષણ આપશે. 5 ટકાના લેવલ પર અનામતની જોગવાઈ કરી શકે છે. આ જાણકારી લઘુમતી મામલાના મંત્રી નવાબ મલિક દ્વારા શુક્રવારે વિધાનસભામાં અપાઈ છે. એક પ્રશ્નના જવાબમાં મુસ્લિમ આરક્ષણની સ્થિતિ પર આ વાત રજૂ કરી હતી. આ પણ વાંચોઃ વિધાનસભામાં ગૃહપ્રધાન પ્રદિપસિંહની જાહેરમાં […]
મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને શિક્ષાના ક્ષેત્રે આરક્ષણ આપશે. 5 ટકાના લેવલ પર અનામતની જોગવાઈ કરી શકે છે. આ જાણકારી લઘુમતી મામલાના મંત્રી નવાબ મલિક દ્વારા શુક્રવારે વિધાનસભામાં અપાઈ છે. એક પ્રશ્નના જવાબમાં મુસ્લિમ આરક્ષણની સ્થિતિ પર આ વાત રજૂ કરી હતી.
નવાબ મલિકે જણાવ્યું કે, ખાનગી શાળા-કોલેજમાં પણ આ આરક્ષણનો અમલ કરવા માટે કાનૂની પાંસાઓ જોવાઈ રહ્યા છે. આ સાથે ઉદ્ધવ સરકારે ખાનગી સંસ્થામાં નોકરી માટે પણ અધ્યાદેશ લાવી કાનૂન બનાવવાનો વિચાર કરી રહી છે. ટૂંક સમયમાં આ મામલે કોઈ નિર્ણય સામે આવી શકે છે. સાથે જણાવ્યું કે, પાછલી સરકારે જાણીને આ વિષય પર કોઈ કામગીરી હાથમાં લીધી નહોતી.
નવાબ મલિકે કહ્યું કે, મુસ્લિમ સમુદાયને શિક્ષણમાં અનામત આપવા અંગે હાઈકોર્ટે પોતાનો પક્ષ રાખ્યો છે. પરંતુ પાછલી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. અમે ટૂંક સમયમાં આ અંગેની ઘોષણા સાથે કાનૂન બનાવી હાઈકોર્ટના આદેશનું પાલન કરીશું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કોંગ્રેસ ધારાસભ્ય જિશાન સિદ્દીકીએ સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. આ નિર્ણયથી યુવાનોને શિક્ષણનો વધુ લાભ મળશે. અને રોજગારીના ક્ષેત્રે પણ પોતાની જાતને આગળ લાવી શકશે.