“દિવાળી પર સન્નાટો” નવા વર્ષે જ શિવસેનાના ભાજપ પર તીખા પ્રહાર! જુઓ VIDEO
નવા વર્ષે જ શિવસેનાએ ભાજપ પર તીખા પ્રહાર કર્યા છે. મુખપત્ર સામનામાં શિવસેનાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ઉદ્ધવ ઠાકરેએ સામનામાં લખેલા સંપાદકિયમાં “દિવાળી પર સન્નાટો” શીર્ષક હેઠળ અર્થવ્યવસ્થાને લઈ સરકારને આડેહાથ લીધી. GST અને નોટબંધી બાદ અર્થવ્યવસ્થામાં સુધારો થવાની જગ્યાએ પડી ભાંગી હોવાનો ઉલ્લેખ કરાયો છે. તો સરકાર દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી […]
નવા વર્ષે જ શિવસેનાએ ભાજપ પર તીખા પ્રહાર કર્યા છે. મુખપત્ર સામનામાં શિવસેનાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ઉદ્ધવ ઠાકરેએ સામનામાં લખેલા સંપાદકિયમાં “દિવાળી પર સન્નાટો” શીર્ષક હેઠળ અર્થવ્યવસ્થાને લઈ સરકારને આડેહાથ લીધી. GST અને નોટબંધી બાદ અર્થવ્યવસ્થામાં સુધારો થવાની જગ્યાએ પડી ભાંગી હોવાનો ઉલ્લેખ કરાયો છે. તો સરકાર દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી પોણા બે લાખ કરોડ લેવાને અમાનવીય વાત ગણાવી છે. ઉદ્ધવ ઠાકરેએ લખ્યું છે કે, ઉદ્યોગ-ધંધા બંધ થવા લાગ્યા છે. કંપનીઓ પોતાને દેવાદાર જાહેર કરી રહી છે. બેંકોનું પણ દેવાળિયું ફૂંકાઈ રહ્યું છે. સામાન્ય જનતાના ખિસ્સાની સાથે સાથે સરકારની પણ તિજોરી ખાલી થઈ ગઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ઈંગોરિયાની એવી લડાઈ કે, જોઈને રુવાડા ઉભા થઈ જાય! જુઓ VIDEO