કેન્દ્રમાં જંગી બહુમત બાદ ભાજપના મંત્રી ફોર્મ્યુલાના કારણે નીતિશ કુમાર બાદ શિવસેના પણ BJPથી નારાજ?
કેન્દ્રમાં ભાજપના પ્રચંડ બહુમત બાદ શપથવિધિ દરમિયાન NDAની સહયોગી પાર્ટી JDUમાં નારાજગી જોવા મળી હતી. નીતિશ કુમારની પાર્ટીના એક પણ સાંસદે કેન્દ્રમાં મંત્રી તરીકે શપથ લીધા નહોતા. ત્યારે નીતિશ કુમાર બાદ શિવસેનામાં પણ મનદુઃખ ચાલી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ પાછળનું કારણ છે કે ભાજપે NDAમાં ગઠબંધીત પાર્ટીઓના માત્ર એક સાંસદને મંત્રી બનાવ્યા […]
કેન્દ્રમાં ભાજપના પ્રચંડ બહુમત બાદ શપથવિધિ દરમિયાન NDAની સહયોગી પાર્ટી JDUમાં નારાજગી જોવા મળી હતી. નીતિશ કુમારની પાર્ટીના એક પણ સાંસદે કેન્દ્રમાં મંત્રી તરીકે શપથ લીધા નહોતા. ત્યારે નીતિશ કુમાર બાદ શિવસેનામાં પણ મનદુઃખ ચાલી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ પાછળનું કારણ છે કે ભાજપે NDAમાં ગઠબંધીત પાર્ટીઓના માત્ર એક સાંસદને મંત્રી બનાવ્યા છે. આ ફોર્મ્યુલાના કારણે પહેલા નીતિશ કુમાર અને હવે શિવસેના નારાજ દેખાઈ રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કેબિનેટમાં માત્ર એક જ મંત્રીપદ મળતા શિવસેના ભાજપથી નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. જો કે નીતિશ કુમારની પાર્ટીની જેમ શિવસેનાને પણ 2થી 3 મંત્રીપદની આશા હતી. ગત સરકારમાં શિવસેનાના સાંસદ અનંત ગીતે કેબિનેટમાં હતા. પરંતુ આ વખતે ગીતેની હારના કારણે મુંબઈ દ.થી સાંસદ અરવિંદ સાવતને મંત્રી બનાવ્યા છે. જેમાં તેમને ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]