મહારાષ્ટ્રના અજીત પવારના નિર્ણય બાદ ચાણક્ય કહેવાતા NCP પ્રમુખ શરદ પવારની શાખમાં થશે ઘટાડો?
મહારાષ્ટ્રમાં રાજનીતિની એવી રમત ખેલવામાં આવી કે, સવાર પડી અને સપના તૂટી ગયા હતા. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનવા માટે પોતાની વિરોધી પાર્ટી કોંગ્રેસ સાથે પણ જવા તૈયાર હતા. પરંતુ શિવસેના-કોંગ્રેસ અને NCP સાથે સરકાર બનાવે તે પહેલા શરદ પવારના ભત્રીજા અજીત પવારે ગેમ ચેન્જ કરી લીધી હતી. સવાલો હવે એ થઈ રહ્યા છે કે, શું […]
મહારાષ્ટ્રમાં રાજનીતિની એવી રમત ખેલવામાં આવી કે, સવાર પડી અને સપના તૂટી ગયા હતા. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનવા માટે પોતાની વિરોધી પાર્ટી કોંગ્રેસ સાથે પણ જવા તૈયાર હતા. પરંતુ શિવસેના-કોંગ્રેસ અને NCP સાથે સરકાર બનાવે તે પહેલા શરદ પવારના ભત્રીજા અજીત પવારે ગેમ ચેન્જ કરી લીધી હતી. સવાલો હવે એ થઈ રહ્યા છે કે, શું અજીત પવારે ભાજપ સાથે સરકારમાં જોડાવવા પહેલા શરદ પવારની મંજૂરી મેળવી હતી. જો કે આ અંગે શરદ પવારે જવાબ આપી દીધો છે. પરંતુ શું હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવારનો પાવર ઘટી ગયો છે. જો અજીત પવારે શરદ પવારની મંજૂરી વગર નિર્ણય કર્યો છે તો આ સવાલ જરૂર ઉભો થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શરદ પવારનું રાજનૈતિક સફર પૂરો થશે?
મુંબઈમાં શનિવારે લોકો હજુ ઉઠ્યા નહોતા અને દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે શપથ ગ્રહણ કરી લીધા હતા. શરદ પવાર મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાણક્ય છે. અને જો તેમની મંજૂરી વગર જ અજીત પવારે આ નિર્ણય કર્યો તો, તેમની શાખમાં ઘટાડો જરૂર થઈ શકે છે. અને અન્ય પાર્ટીઓની વિશ્વાસને પણ ગુમાવી શકે છે. જે ભવિષ્યમાં તેમની રાજનીતિને પણ અસર કરી શકે છે.