શાકિબ અલ હસનની કાલી પૂજા વિવાદમાં કંગના રાણાવતે પણ ઝુકાવ્યું, કહ્યું કેમ આટલા ડરો છો મંદીરોથી
કલકત્તામાં કાલી પુજાથી બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનના સામેલ થવાને લઇને વિવાદ વધતો જઇ રહ્યો છે. મોતની ધમકી મળવાને લઇને શાકિબે કટ્ટરપંથિયોથી માફી માંગી હતી. હવે આ વિવાદમાં ભારતીય અભિનેત્રી કંગના રાણાવત પણ કુદી પડી છે. તેણે ટ્વીટ કરીને કહ્યુ છે કે મંદિરોથી કેમ આટલા બધા ડરો છો. મોતની ધમકી મળવાના બાદમાં ક્રિકેટર શાકિબ વિડીયો […]
કલકત્તામાં કાલી પુજાથી બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનના સામેલ થવાને લઇને વિવાદ વધતો જઇ રહ્યો છે. મોતની ધમકી મળવાને લઇને શાકિબે કટ્ટરપંથિયોથી માફી માંગી હતી. હવે આ વિવાદમાં ભારતીય અભિનેત્રી કંગના રાણાવત પણ કુદી પડી છે. તેણે ટ્વીટ કરીને કહ્યુ છે કે મંદિરોથી કેમ આટલા બધા ડરો છો. મોતની ધમકી મળવાના બાદમાં ક્રિકેટર શાકિબ વિડીયો જાહેર કરીને સાર્વજનિક રીતે માંફી માંગી. તેને આમ કરવાથી લેખિકા તસ્લિમા નસરિને પણ મનાઇ કરી.
કંગનાએ ટ્વીટ કરીને કહ્યુ છે કે કેમ આટલા બધા ડરો છો મંદીરોથી, કંઇક કારણ હશેને, કંઇ આટલુ કોઇ નથી ગભરાતુ હોતુ, અમે તો આખુ જીવન જ મંદિરમાં વિતાવી દઇએ તો પણ અમારા હર્દયમાંથી રામ નામને કોઇ નિકાળી શકે નહી. પોતાની ઇબાદત પર આટલો ભરોસો નથી કે પછી હિંદુ ઇતિહાસ તમને મંદિરોથી આકર્ષિત કરે છે, પુછો ખુદને.
શાકિબની વાત કરીએ તો, ગત રવિવારે ફેસબુક લાઇવ માં મોહસિન તાલુકદાર નામના એક વ્યક્તિએ કહ્યુ હતુ કે, શાકિબના વ્યવહાર થી મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોચી છે. મોહસિને લાઇવ વિડિયોમાં શાકિબને આ માટે ટુકડા ટુકડા કરવાની ધમકી આપી હતી. તેણે કહ્યુ હતુ કે, શાકિબએ મુસ્લિમોનુ અપમાન કર્યુ છે. જો શાકિબને મારવા માટે તેણે સિલહટથી ઢાકા આવવુ પડે તો તે આવશે. બાદમાં પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.
ત્યાર બાદ શાકિબે પોતાના યુ ટ્યુબ વિડીયો દ્રારા માફી માંગી હતી. તેણે કહયુ હતુ કે, હું ફરીથી તે જગ્યાએ નહી જાઉ. જો તમને લાગે છે કે, આ આપ સૌના વિરોધમાં છે તો હું માંફી માંગુ છુ. હું કોષિશ કરીશ કે આમ ફરીથી ના થાય. સોશિયલ મિડીયા પર પણ સમાચાર હતા કે હું સમારોહમાં સામેલ થવા ગયો હતો. મે કોઇ પૂજા નથી કરી. તો વળી તસ્લીમા નસરીને કહ્યુ હતુ કે, જો તેમ આમ કરે છે તો, કટ્ટરપંથિયોના મનોબળ વધશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો