શેરબજારમાં સતત બીજા દિવસે પણ તબાહી, લોઅર સર્કિટ વાગતા શેરબજાર થયું બંધ
દુનિયાભરમાં કોરોના વાયરસે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યુ છે. તેના કારણે વૈશ્વિક શેરબજારોમાં પણ કડાકો આવ્યો છે. અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 10 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો અને તે કારણથી ટ્રેડિંગ રોકવી પડી. ઉલ્લેખનીય છે કે શેરબજારમાં 10 ટકા કે તેનાથી વધારેનો ઘડાટો આવે છે તો તેમાં લોઅર સર્કિટ લાગી જાય છે અને ટ્રેડિંગ […]
દુનિયાભરમાં કોરોના વાયરસે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યુ છે. તેના કારણે વૈશ્વિક શેરબજારોમાં પણ કડાકો આવ્યો છે. અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 10 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો અને તે કારણથી ટ્રેડિંગ રોકવી પડી. ઉલ્લેખનીય છે કે શેરબજારમાં 10 ટકા કે તેનાથી વધારેનો ઘડાટો આવે છે તો તેમાં લોઅર સર્કિટ લાગી જાય છે અને ટ્રેડિંગ થોડા સમય માટે રોકી દેવામાં આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કેમ રોકવામાં આવે છે ટ્રેડિંગ?
દલાલ સ્ટ્રીટમાં રોકાણકારોના રોકાણને સુરક્ષિત રાખવા માટે ટ્રેડિંગ પર રોક લગાવવામાં આવે છે. તેનાથી રોકાણકારોના નુકસાનનું સંકટ વધવાથી બચી જાય છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે ભારતીય શેરબજારમાં ગુરૂવારે પણ દહેશતનો માહોલ રહ્યો. જેમાં સેન્સેક્સ 2919 પોઈન્ટ તુટીને 32,778 પોઈન્ટ પર બંધ થયો, ત્યારે નિફ્ટી 868 પોઈન્ટ તુટીને 9590 પોઈન્ટ પર રહ્યો. જેના કારણે રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયા ઘોવાઈ ગયા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ગુજરાત: રાજ્યસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે