ગુજરાત સરકારનો શાળાઓને લઈ મોટો નિર્ણય, દિવાળી સુધી બંધ રહેશે શાળાઓ
રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે શાળાઓ દિવાળી સુધી નહીં ખુલે. રાજ્ય સરકારે વાલીઓને સતાવી રહેલા પ્રશ્નને લઈ અત્યંત મહત્વનો નિર્ણય કર્યો. ગુજરાતમાં દિવાળી બાદ પણ સ્થિતિની સમીક્ષા કરીને સ્કૂલ ખોલવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. રાજ્યમાં ઓક્ટોબરથી શાળાઓ શરૂ કરવાની અટકળો વહેતી થઈ હતી, પરંતુ કોરોનાના કેસ વધતા સરકારે શાળાઓ બંધ જ રાખવાનો નિર્ણય […]
રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે શાળાઓ દિવાળી સુધી નહીં ખુલે. રાજ્ય સરકારે વાલીઓને સતાવી રહેલા પ્રશ્નને લઈ અત્યંત મહત્વનો નિર્ણય કર્યો. ગુજરાતમાં દિવાળી બાદ પણ સ્થિતિની સમીક્ષા કરીને સ્કૂલ ખોલવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. રાજ્યમાં ઓક્ટોબરથી શાળાઓ શરૂ કરવાની અટકળો વહેતી થઈ હતી, પરંતુ કોરોનાના કેસ વધતા સરકારે શાળાઓ બંધ જ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં 16 માર્ચથી એટલે કે લગભગ છ મહિનાથી શાળાઓ બંધ છે. રાજ્યનું શિક્ષણ વિભાગ અભ્યાસક્રમમાં ઘટાડો કરવા અંગે પણ વિચારણા કરી રહ્યું છે. જો દિવાળી બાદ શાળાઓ શરૂ થાય તો, એક સત્રમાં બે સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો અશકય હશે. જેથી શાળાઓ શરૂ થયા બાદ બાકી રહેતા દિવસોના આધારે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: VIDEO: જામનગરના કાલાવડમાં 1 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ, જાહેર માર્ગો પર ફરી વળ્યા પાણી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો