TATAને રાહત મિસ્ત્રીને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે NCLATના આદેશ પર લગાવી રોક
ટાટા સન્સ અને સાઈરસ મિસ્ત્રીની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે NCLATના આદેશ પર રોક લગાવી દીધી છે. કોર્ટ તરફથી સાઈરસ મિસ્ત્રીને નોટિસ જાહેર કરવામાં આવી છે. આ અરજીમાં ઉભા થયેલા પ્રશ્નોના જવાબ માટે કોર્ટે સાયરસ મિસ્ત્રીને સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે NCLATએ 18 ડિસેમ્બરે તેમના આદેશમાં […]
ટાટા સન્સ અને સાઈરસ મિસ્ત્રીની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે NCLATના આદેશ પર રોક લગાવી દીધી છે. કોર્ટ તરફથી સાઈરસ મિસ્ત્રીને નોટિસ જાહેર કરવામાં આવી છે. આ અરજીમાં ઉભા થયેલા પ્રશ્નોના જવાબ માટે કોર્ટે સાયરસ મિસ્ત્રીને સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે NCLATએ 18 ડિસેમ્બરે તેમના આદેશમાં સાયરસ મિસ્ત્રીને તાતા સન્સના કારોબારી અધ્યક્ષ પદ પર પાછા ફરવાનો હુકમ કર્યો હતો. આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
`
સુપ્રીમ કોર્ટે કહ્યું કે NCLATના આદેશમાં મૂળભૂત ખામી છે. કોર્ટે કહ્યું કે જ્યારે અમે NCLATના ન્યાયિક વલણ તરફ ધ્યાન આપ્યું, ત્યારે જાણવા મળ્યું કે તેમાં મૂળભૂત ખામી હતી. NCLATએ ટાટા સન્સના અધ્યક્ષ પદ પરથી સાયરસ મિસ્ત્રીને હટાવવાની વાતને અમાન્ય કરી દીધી હતી અને તેમને આ પદ પર પરત ફરવાનો આદેશ આપ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
18 ડિસેમ્બરે પોતાના આદેશમાં NCLATએ એન.ચંદ્રશેખરનને કાર્યકારી ચેરમેન બનાવવાના તંત્રના નિર્ણયને પણ અમાન્ય ગણાવ્યો હતો. NCLATએ ટાટા સન્સના ચેરમેન પદથી સાઈરસ મિસ્ત્રીને હટાવવાની વાતને અયોગ્ય ગણાવી હતી અને તેમને આ પદ પર ફરીથી મૂકવાનો આદેશ આપ્યો હતો. NCLATએ તેમના આદેશમાં કહ્યું હતું કે સાઈરસ મિસ્ત્રીને ફરીથી ટાટા સન્સના કારોબારી અધ્યક્ષ બનાવવામાં આવે.
આ પહેલા NCLATની મુંબઈ બેન્ચે સાઈરસ મિસ્ત્રીને હટાવવાની વિરૂદ્ધ દાખલ અરજીઓને રદ કરી દીધી હતી. ત્યારબાદ મિસ્ત્રીએ પોતે NCLATમાં સંપર્ક કર્યો હતો. મિસ્ત્રીને ઓક્ટોબર 2016માં ટાટા સન્સના ચેરમેન પદથી હટાવી દેવામાં આવ્યા હતા. તે ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન હતા. રતન ટાટાની નિવૃતીની જાહેરાત પછી તે વર્ષ 2012માં ટાટા સન્સના ચેરમેન બન્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શું હતો વિવાદ
રતન ટાટા કેમ્પ અને કંપની બોર્ડે દુવ્યવહારનો આરોપ લગાવી સાઈરસ મિસ્ત્રીને બહાર કરી દીધા હતા. ટાટા સન્સના બોર્ડે 24 ઓક્ટોબર 2016ના રોજ સાઈરસ મિસ્ત્રીને ચેરમેન પદથી હટાવી દીધા હતા. તેની સાથે જ તેમને ગ્રુપની અન્ય કંપનીઓમાંથી પણ બહાર નીકળવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ સાઈરસ મિસ્ત્રીએ ગ્રુપની 6 કંપનીઓના બોર્ડને પોતાનું રાજીનામું આપી દીધું. સાથે જ સાઈરસ મિસ્ત્રી ટાટા સન્સ અને રતન ટાટાને NCLATમાં લઈ ગયા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]