સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદમાંઃ પેપરમાં કોર્સ બહારના પ્રશ્નો પૂછાયા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ પેપરનો કર્યો બહિષ્કાર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદના ઘેરામાં આવી છે. આ વખતે પેપરમાં છબરડાના આક્ષેપ થયા છે. પેપરમાં કોર્સ બહારના પ્રશ્નો પૂછાયા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ પેપરનો બહિષ્કાર કર્યો હતો અને પરીક્ષા ખંડની બહાર નીકળી ગયા હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, M.sc. સેમેસ્ટર-1ના પેપરમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા છે. અને આ અંગે તેમણે કુલપતિને રજૂઆત કરી છે. […]
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદના ઘેરામાં આવી છે. આ વખતે પેપરમાં છબરડાના આક્ષેપ થયા છે. પેપરમાં કોર્સ બહારના પ્રશ્નો પૂછાયા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ પેપરનો બહિષ્કાર કર્યો હતો અને પરીક્ષા ખંડની બહાર નીકળી ગયા હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, M.sc. સેમેસ્ટર-1ના પેપરમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા છે. અને આ અંગે તેમણે કુલપતિને રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃ જૂની વી.એસ હોસ્પિટલને તોડવા પર હાઈકોર્ટનો સ્ટે, વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરાશે
મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. ઘટનાને લઈ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. શું યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પરેશાન કરાઈ રહ્યા છે? કેમ અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછવામાં આવે છે? પેપર પરીક્ષા ખંડમાં પહોંચે તે પહેલા ચકાસવામાં નથી આવતા? જો કોર્સ બહારનું પૂછાય તો વિદ્યાર્થીઓ કેવી રીતે લખી શકે?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો