શું શિવસેના CAAનો રહી છે વિરોધ? જાણો સંજય રાઉતે ટ્વીટ કરીને શું લખ્યું?
શિવસેનાનો એક મોટો ચહેરો સંજય રાઉત પણ માનવામાં આવે છે. સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અને એનઆરસીને લઈને શિવસેનાનું સ્ટેન્ડ હજુ પણ નક્કી થઈ શક્યું નથી. સંસદમાં પણ આ બિલને લઈને શિવસેનાએ ચર્ચા કરીને વોકઆઉટ કર્યું હતું. શિવસેનાના જાણીતા નેતા સંજય રાઉત સતત સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પર નિશાન તાકી રહ્યાં છે. તેઓ ટ્વીટ કરીને મોદી સરકારને […]
શિવસેનાનો એક મોટો ચહેરો સંજય રાઉત પણ માનવામાં આવે છે. સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અને એનઆરસીને લઈને શિવસેનાનું સ્ટેન્ડ હજુ પણ નક્કી થઈ શક્યું નથી. સંસદમાં પણ આ બિલને લઈને શિવસેનાએ ચર્ચા કરીને વોકઆઉટ કર્યું હતું. શિવસેનાના જાણીતા નેતા સંજય રાઉત સતત સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પર નિશાન તાકી રહ્યાં છે. તેઓ ટ્વીટ કરીને મોદી સરકારને વખોડી રહ્યાં છે. આમ શિવસેનાનું સ્ટેન્ડ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અને એનઆરસીને લઈને શું છે તે નક્કી થઈ શક્યું નથી!
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
શિવસેનાના નેતા સંજય રાઉતે કટાક્ષમાં સીએએ પર કહ્યું કે હિંદુસ્તાન પર કોઈ એકનો કબજો નથી. લોકો આ ટ્વીટને સીએએ વિરોધી ટ્વીટ માની રહ્યાં છે. જો કે રાજ્યસભામાં શિવસેનાના ઉદ્વવ ઠાકરેએ ભાજપ સરકારને વેધક સવાલ કર્યો હતો કે હિંદુ શરણાર્થીઓને ભારતમાં લાવીને રાખશો ક્યાં? શું અન્ય ધર્મના લોકો જે ભારત આવશે તેના નિવાસને લઈને સરકાર પાસે કોઈ વિકલ્પ છે?
આ પણ વાંચો : મુસ્લિમોને અટકાયતી કેન્દ્રમાં મોકલાશે? આ બધું ખોટું છે..ખોટું છે..ખોટું છે : PM મોદી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો