NDAમાંથી શિવસેનાને બહાર કર્યા બાદ સંસદમાં બેઠક વ્યવસ્થામાં ફેરફાર પછી સંજય રાઉતે કહ્યું, ‘દિલ્હી કોઈના બાપની નથી’
મહારાષ્ટ્રના મામલે હવે વાક પ્રહાર ચાલુ થઈ ગયા છે. આજે NDAમાંથી શિવસેનાને બહાર કરી દેવાઈ છે. ત્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે વધુ એક નિવેદન આપીને ચર્ચાને વેગ આપ્યો છે. સંજય રાઉતે ભાજપ પર ફરી એક વખત પ્રહાર કર્યા છે. સંજય રાઉતે કહ્યું કે, તેમને 170 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. અને મહારાષ્ટ્રમાં ડિસેમ્બર સુધીમાં સરકાર બની […]
મહારાષ્ટ્રના મામલે હવે વાક પ્રહાર ચાલુ થઈ ગયા છે. આજે NDAમાંથી શિવસેનાને બહાર કરી દેવાઈ છે. ત્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે વધુ એક નિવેદન આપીને ચર્ચાને વેગ આપ્યો છે. સંજય રાઉતે ભાજપ પર ફરી એક વખત પ્રહાર કર્યા છે. સંજય રાઉતે કહ્યું કે, તેમને 170 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. અને મહારાષ્ટ્રમાં ડિસેમ્બર સુધીમાં સરકાર બની જશે.
બહુમતિ સાબીત કરવાની સાથે સંજય રાઉતે કહ્યું કે, અમારી સરકાર પણ પાંચ વર્ષ સુધી ચાલશે. સાથે દાવો પણ કર્યો કે, મુખ્યમંત્રી પણ શિવસેનાનો જ હશે. કોંગ્રેસ અને NCP સાથે કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચર્ચા ચાલુ હોવાની પણ વાત કહી. તો આવતીકાલે શરદ પવાર અને સોનિયા ગાંધી મુલાકાત પણ કરશે.
દિલ્હી કોઈના બાપાની નથી
શિવસેના સાંસદે કહ્યું કે, લોકસભામાં અમારી બેઠક વ્યવસ્થા બદલી દેવાઈ છે. પરંતુ એ વાત યાદ રાખવી પડશે કે, દિલ્હી કોઈના બાપની નથી. મોટા-મોટા નેતા આવ્યા અને ચાલ્યા ગયા. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સરકાર બની જશે. તો ભાજપે શિવસેનાને દગો કર્યો હોવાનો પણ મુદ્દે ઉછાળ્યો છે.