પૂર્વ વડાપ્રધાનના પુત્રએ રાજ્યસભામાંથી આપ્યુ રાજીનામુ, ભાજપમાં જોડાઈ શકે છે
પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર અને સમાજવાદી પાર્ટીથી રાજ્યસભામાં પહોંચેલા સાંસદ નીરજ શેખર રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નીરજ શેખર ઈચ્છતા હતા કે તેમને બલિયા લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ટિકીટ લેવી હતી પણ તેમની ટિકીટ આપવામાં આવી ન હતી. ત્યારબાદ તેઓ નારાજ જોવા મળી રહ્યા છે. નીરજ શેખરના રાજીનામાનો […]
પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર અને સમાજવાદી પાર્ટીથી રાજ્યસભામાં પહોંચેલા સાંસદ નીરજ શેખર રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નીરજ શેખર ઈચ્છતા હતા કે તેમને બલિયા લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ટિકીટ લેવી હતી પણ તેમની ટિકીટ આપવામાં આવી ન હતી. ત્યારબાદ તેઓ નારાજ જોવા મળી રહ્યા છે.
નીરજ શેખરના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. સુત્રો જણાવી રહ્યા છે કે નીરજ શેખર જલ્દી જ ભાજપમાં જોડાઈ શકે છે. 2020માં ભાજપ તેમને ઉત્તરપ્રદેશથી રાજ્યસભામાં મોકલી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: અમદાવાદના સરખેજમાં એક કોન્ટ્રાક્ટરે રૂપિયાની લેતીદેતીમાં ઝેરી દવા ગટગટાવી
પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના નિધન પછી તેમના પુત્ર નીરજ પ્રથમ વખત ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. વર્ષ 2007માં તેમના પિતાના નિધન પછી ખાલી થયેલી બલિયા સીટ પરથી તેમને ચૂંટણી લડી હતી અને ભારે બહુમતીથી જીત્યા હતા.
આ પેટાચૂંટણીમાં નીરજે લગભગ 3 લાખ મતથી જીત મેળવી હતી. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં પણ તેમને આ સીટ પર જીત મેળવી હતી. ત્યારે 2014માં લોકસભા ચૂંટણીમાં જ્યારે દેશભરમાં મોદી લહેર ચાલી તો બલિયામાં પણ ભાજપના ઉમેદવાર ભરત સિંહે નીરજ શેખરને હરાવ્યા હતા. ભરત સિંહે આ ચૂંટણી લગભગ 1.25 લાખ મતથી જીતી હતી.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]