સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી પંચે બાબરી મસ્જિદને લઈને વિવાદીત ટિપ્પણી કરવા બદલ ફટકારી નોટિસ
મુંબઈ હુમલાના શહિદ હેંમત કરકરે પર ટિપ્પણી બાદ સાધ્વી પ્રજ્ઞાએ ફરીથી વિવાદીત નિવેદન આપતા ચૂંટણી પંચે બીજી નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞાને ભાજપે ભોપાલથી લોકસભાની ચૂંટણી માટે ટિકીટ આપી છે. સાધ્વી પ્રજ્ઞાએ શહિદ મુંબઈ હુમલામાં શહીદ હેંમત કરકરેને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાને નોટિસ ફટકારી છે. સાધ્વી પ્રજ્ઞાને લોકસભાની […]
મુંબઈ હુમલાના શહિદ હેંમત કરકરે પર ટિપ્પણી બાદ સાધ્વી પ્રજ્ઞાએ ફરીથી વિવાદીત નિવેદન આપતા ચૂંટણી પંચે બીજી નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞાને ભાજપે ભોપાલથી લોકસભાની ચૂંટણી માટે ટિકીટ આપી છે.
સાધ્વી પ્રજ્ઞાએ શહિદ મુંબઈ હુમલામાં શહીદ હેંમત કરકરેને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાને નોટિસ ફટકારી છે. સાધ્વી પ્રજ્ઞાને લોકસભાની ચૂંટણી લડવા માટે ભાજપે ભોપાલની લોકસભા બેઠક પર ટિકીટ આપી છે.
એક ખાનગી ટીવી ચેનલ પર સાધ્વી પ્રજ્ઞાએ હેંમત કરકરે બાદ બાબરી મસ્જિદને લઈને વિવાદીત ટિપ્પણી કરી છે. આ વિવાદીત ટિપ્પણી બાદ ભોપાલના ચૂંટણી અધિકારીએ નોટિસ ઈસ્યુ કરી છે. સાધ્વી પ્રજ્ઞાએ ખાનગી ચેનલ પર કહ્યું કે તેમણે બાબરી મસ્જિદ તોડવામાં મદદ કરી હતી અને હવે તે રામ મંદિર બનાવવામાં મદદ કરશે. આ બાબતે ચૂંટણી પંચે બીજી નોટિસ ફટકારી છે પહેલાં શહીદ હેંમત કરકરેને લઈને વિવાદીત ટિપ્પણી કરીને સાધ્વીએ કહ્યું હતું કે કરકરે મારા શ્રાપના લીધે મર્યા છે.
હેંમત કરકરે જે મુંબઈ હુમલામાં શહીદ થયા તેને લઈને આ ટિપ્પણી સાધ્વીએ કરતા ચૂંટણી પંચે જવાબ માગ્યો હતો અને સોશિયલ મીડિયા ભારે હોબાળો મચી જતા સાધ્વીએ ફેરવી તોળ્યું અને કહ્યું કે તે પોતાના શબ્દોને પાછા લે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]