સાબરકાંઠાઃ છેલ્લા 6 માસથી જિલ્લા સંકલન સમિતિની બેઠક જ ના મળતા વિકાસના કાર્યો અને લોક પ્રશ્નો ટલ્લે ચઢ્યા, પદાધિકારીઓ પણ રોષે ભરાયા

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા છ એક માસથી જિલ્લા સંકલન સમિતિની બેઠક મળતી નથી. સંકલન સમિતિની બેઠક જેતે જિલ્લાઓ માટે ખુબ જ મહત્વની હોય છે, જેના દ્વારા જિલ્લાના વિકાસ કાર્યો પણ કરવામાં આવતા હોય છે. લોકોના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ અને પ્રાથમિક રીતે જરુરી સંચાલન પણ સંકલન સમિતિ દ્વારા થતુ રહેતુ હોય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા છ […]

સાબરકાંઠાઃ છેલ્લા 6 માસથી જિલ્લા સંકલન સમિતિની બેઠક જ ના મળતા વિકાસના કાર્યો અને લોક પ્રશ્નો ટલ્લે ચઢ્યા, પદાધિકારીઓ પણ રોષે ભરાયા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 21, 2020 | 9:40 AM
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા છ એક માસથી જિલ્લા સંકલન સમિતિની બેઠક મળતી નથી. સંકલન સમિતિની બેઠક જેતે જિલ્લાઓ માટે ખુબ જ મહત્વની હોય છે, જેના દ્વારા જિલ્લાના વિકાસ કાર્યો પણ કરવામાં આવતા હોય છે. લોકોના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ અને પ્રાથમિક રીતે જરુરી સંચાલન પણ સંકલન સમિતિ દ્વારા થતુ રહેતુ હોય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા છ માસથી કોરાનાકાળને લઈને સંકલન સમિતિની બેઠક જ બંધ કરાયા બાદ ફરીથી શરુ જ કરવામાં આવી રહી નથી. આ માટે મૌખિક રીતે પણ અધિકારીઓને પણ રજુઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. જિલ્લામાં અનેક પ્રકારની સમસ્યાઓ અને સ્થાનિક પ્રશ્નોને લઈને આ બાબતે તંત્રનું ધ્યાન દોરવુ જરુરી છે. લોકોની સમસ્યાઓને નિવારવા માટે સંકલન સમિતિ અત્યંત જરુરી હોવાને લઈને હવે વિધાનસભાના વિપક્ષી દંડકે પણ રજુઆત કરી બેઠક યોજવા માટે માંગ કરી છે.
Sabarkantha: Chela 6 mass thi jila sanklan samiti ni bethak j na malta vikas na karyo ane lok prashno tale chadhya padadhikario pan roshe bharaya

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 
ગુજરાત વિધાનસભા વિપક્ષી દંડક અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વીન કોટવાલે કહ્યુ હતુ કે, સંકલન સમિતિની બેઠક અત્યંત જરુરી છે, જેનાથી લોકોની સમસ્યા અને લોકોના પ્રશ્નોને રજુ કરીને તેનો ઉકેલ લાવી શકાય છ, વિકાસની બાબતો માટે બેઠક જરુરી છે. આ માટે અમે રજુઆત કરી છે પણ હજુ સુધી બેઠક શરુ કરાઈ નથી. જિલ્લાના મુખ્ય અધિકારીઓ અને પ્રભારી પ્રધાન ઉપરાંત સાંસદ અને ધારાસભ્યો પણ આ બેઠકમાં ભાગ લેતા હોય છે. જેમાં જિલ્લાના વિવિધ સ્તરના વિકાસ કાર્યોથી લઇને આગામી દિવસોના આયોજન અંગે પણ ચર્ચા થતી હોય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Sabarkantha: Chela 6 mass thi jila sanklan samiti ni bethak j na malta vikas na karyo ane lok prashno tale chadhya padadhikario pan roshe bharaya
અધિકારીઓની મનમાની અને તેમની નીતિરીતીને પણ બેઠક દ્વારા અંકુશમાં લેવાતી હોય છે. અધિકારીઓની કાર્યપદ્ધતી અને પ્રજા વિમુખીને પણ બેઠક દ્વારા અટકાવીને પ્રજાને સરળતા પુરી પાડવા પ્રયાસ કરાતો હોય છે. આમ જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજવા માટે માંગ કરાઈ છે. જો કે કલેકટર તંત્ર દ્વારા આગામી મહિનાથી હવે સંકલન બેઠક યોજવા માટે પ્રયાસ  હાથ ધરાયા છે. આ માટે  વીડિયો કોન્ફરન્સ અથવા સોશિયલ ડીસ્ટન્સીંગ દ્વારા પણ બેઠક ગોઠવવા અંગે આયોજન કરાઈ રહ્યા છે. આમ શક્ય છે કે આગામી માસથી સંકલન સમિતિની બેઠક શરુ કરવા વિચારણા કરી છે. સાબરકાંઠા જિલ્લાના કલેકટર સીજે પટેલે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે, અમે આગામી માસથી સંકલન સમિતિની બેઠક યોજવા અંગે વિચારી રહ્યા છીએ, આ માટે ટાઉન હોલ અને  વીડિયો કોન્ફરન્સ જેવા વિકલ્પને પણ અપનાવવા માટે વિચારી કરી રહ્યા છીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">