સાબરકાંઠામાં પંદરેક દિવસ અગાઉ રામપુરા ચોકડી નજીક અજાણી મહિલાની દાટેલી લાશ મળવાનો મામલો, હત્યારો ઝડપાયો

પંદરેક દિવસ અગાઉ પ્રાંતિજના રામપુરા ચોકડી નજીકથી મકાનના પાયામાં દાટી દેવાયેલી મહિલાની લાશ મળી આવી હતી. અજાણી મહીલાની લાશને લઇને તપાસ હાથ ધરતા પ્રાંતિજ પોલીસે મહિલાની સાથે શારીરીક સંબંધો બાધ્યા બાદ ગળે ટુંપો દઇને હત્યા કરી દીધી હોવાનો ભેદ ખુલ્યો છે. પ્રાંતિજ પોલીસે આરોપી ને ઝડપી લીધો હતો. સાબરકાંઠાના પ્રાંતિજના રામપુરા ચોકડી નજીક એક રામદેવપીર […]

સાબરકાંઠામાં પંદરેક દિવસ અગાઉ રામપુરા ચોકડી નજીક અજાણી મહિલાની દાટેલી લાશ મળવાનો મામલો, હત્યારો ઝડપાયો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 10, 2020 | 5:15 PM

પંદરેક દિવસ અગાઉ પ્રાંતિજના રામપુરા ચોકડી નજીકથી મકાનના પાયામાં દાટી દેવાયેલી મહિલાની લાશ મળી આવી હતી. અજાણી મહીલાની લાશને લઇને તપાસ હાથ ધરતા પ્રાંતિજ પોલીસે મહિલાની સાથે શારીરીક સંબંધો બાધ્યા બાદ ગળે ટુંપો દઇને હત્યા કરી દીધી હોવાનો ભેદ ખુલ્યો છે. પ્રાંતિજ પોલીસે આરોપી ને ઝડપી લીધો હતો.

સાબરકાંઠાના પ્રાંતિજના રામપુરા ચોકડી નજીક એક રામદેવપીર મંદીર નજીકના એક મકાનના પાયામાં એક લાશ હોવાની જાણ સ્થાનિકોે થઇ હતી. પાયામાંથી દુર્ગંધ આવવા સાથે હાથ બહાર દેખાતો હોવાને લઇને પ્રાંતિજ પોલીસને સ્થાનિકો દ્રારા જાણ કરવામાં આવી હતી. પોલીસે લાશને બહાર નિકાળીને તપાસ હાથ ધરતા મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ કરાવતા હત્યા હોવાનો ભેદ ખુલ્યો હતો. મહિલાને ગળે ટુંપો આપીને મોત નિપજાવ્યુ હોવાનુ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમના રીપોર્ટમાં બહાર આવતા પોલીસે હત્યા હોવાને લઇને તપાસ હાથ ધરી હતી. મહિલાની લાશ અજાણી હોવાને લઇને પ્રાંતિજ પોલીસે મહિલાની ઓળખ કરવા માટે અથાગ પ્ર્યાસો બાદ મહિલા પ્રાંતિજના મંૌછા ગામની હોવાનુ સામે આવ્યુ હતુ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પોલીસે મહિલાના એક હાથ પર રહેલા છુંદણાના આધારે લાશને ઓળખવા પ્રયાસ કર્યો હતો. જેમાં મહિલા પંદરેક વર્ષ અગાઉ પ્રેમ સંબંધોને લઇને ઘરે થી નિકળી ચુકી હતી હતી. છેલ્લા બે એક વર્ષ દરમ્યાન થી તે રામપુરા ચોકડી વિસ્તારમાં પણ અવર જવર કરતી જોવા મળતી હતી. આમ પોલીસે આ કડીઓ પર થી તેના હત્યારાની શોધ ચાલુ કરી હતી. જેમાં પોલીસને તેનો હત્યારો મહેશ નામનો શખ્શ હોવાની કડી હાથ લાગતા જ તેને ઝડપી લેતા આખીય ઘટનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. 

મૃતક મહિલા ગત 22 મી ઓકટોબરે રામપુરા ચોકડી નજીક ની મંદિર પાસેની ઓરડીમાં રોકાઇ હતી. તેની સાથે એ વખતે વિજાપુરનો મહેશનાથ નાથબાવા હાજર હોવાનો પણ ખુલાસો થયો હતો. પોલીસે મહેશ ને ઝડપીને આકરી પુછપરછ કરતા જ મહેશે ભાંગી પડીને હત્યાને કબુલી લીધી હતી.

મહેશે મૃતક મહિલા સાથે રાત્રી દરમ્યાન શારિરીક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં બંને વચ્ચે તકરાર સર્જાઇ હતી. બંને જણા વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા મહેશે મહિલાને ગુસ્સામાં આવીને મહિલાએ પહેરેલી સાડી વડે જ ગળે ટુંપો દઇ દેતા મોત નિપજ્યુ હતુ. મહિલાનુ મોત નિપજતા મહેશે તેની લાશને મંદિર નજીક ખોદેલા પાયામાં નાંખી દઇને દાટી દીધી હતી. આમ મહિલાની હત્યા કરી લાશને દાટી દઇને ફરાર થઇ ગયેલા મહેશ નાથબાવાને પ્રાંતિજ પોલીસે ઝડપી લઇને જેલના હવાલે કરી દીધો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">